________________
' ૬૬ : સ્વાધ્યાય સંચય
છે સંતોષ, સુશીલ સૌમ્ય સમતા, ને શીયળે ચંડના, નીતિ રાય દયા-ક્ષમાધર મુનિ, કોટિ કરું વંદના.
વર્ષ ૧૩ મું — — –
કાળ કોઈને નહિ મૂકે મોતી તણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરા તણા શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૧ મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન-કડાં કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા; પળમાં પડયા પૃથ્વીપતિ એ, ભાન ભૂતળ ખોઈને; જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. ૨ દશ આંગળીમાં માંગળિક મુદ્રા જડિત માણિક્યથી, જે પરમ પ્રેમે પે'રતા પોંચી કળા બારીકથી; એ વેઢ વીંટી સર્વ છોડી ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૩ મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હરકોઈનાં હૈયાં હરે; એ સાંકડીમાં આવિયા છટક્યા તજી સૌ સોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૪ છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઊપડ્યા; એ ચતુર ચકી ચાલિયા હોતા નહોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૫