________________
સ્વાધ્યાય સંચય : ૩૮૭
(ટેક)
પ્રભુજી, મન માને જબ તાર. નદિયાં ગહિરે નાવ પુરાને, અબ કૈસે ઊતરું પાર? પ્રભુજી ૦ વેદ પુરાનાં સબ કુછ દેખે, અંત ન લાગે પાર. પ્રભુજી ૦ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, નામ નિરંતર સાર. પ્રભુજી ૦
દવ તો લાગેલ ડુંગર મેં, કહોને વ્હાલા, હવે કેમ કરીએ? કેમ તે કરીએ? અમે કેમ કરીએ? દવ તો લાગેલ ડુંગર મેં ...(ટેક) હાલવા જઈએ તો વહાલા હાલી ન શકીએ,
બેસી રહીએ તો અમે બળી મરીએ રે. કહોને ૦ આ રે વસ્તીએ નથી ઠેકાણું રે વહાલા
પર વસ્તીની પાંખે અમે ફેરીએ રે. કહોને સંસારસાગર
ભરિયોરે વહાલા, બાંઈ ઝાલો નીકર બૂડી મરીએ રે. કહોને - બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર હેરી,
ગુરુજી તારો તો અમે તરીએ રે. કહોને
વહારું મારા વીરા રે સંગ ન કરીએ નીચનો રે !
નીચપણું નિશ્ચ નરકે લઈ જાય. (ટેક) આકડિયાનાં દૂધ રે, અતિ ઘણાં ઊજળાં રે જી;
તેને પીધે તરત મૃત્યુ થાય. વહારું , ગરવી ગાયનાં દૂધ રે, અતિ ઘણાં મીઠડાં રે જ!
સાકર ભેળે સ્વાદ અદકેરો થાય. વહારું , બાવળને કંટાળો રે, દીસે અળખામણો રે જી;
છાંયે બેસે અંગ ને વસ્ત્ર ઉઝરડાય. વહારું ,