________________
સ્વાધ્યાય સંચય : ૩૨૧
(૩) શ્રી સંભવનાથ જિન સ્તવન સેનાનંદન સાહિબ સાચો રે, પરિપરિ પરખો હીરો જાચો રે; પ્રીતિ મુદ્રિકા તેહશું જોડી રે, જાણું મેં લહી કંચનકોડી રે. ૧ જેણે ચતુરશું ગોઠી ન બાંધી રે, તેણે તો જાણું ફોકટ વાધી રે; સુગુણ મેલાવે જેહ ઉચ્છા હો રે, માણુના જન્મનો તેહજ લાહો રે. ૨ સુગુણ શિરોમણિ સંભવ સ્વામી રે, નેહ નિવાહ ધુરંધર પામી રે; વાચક્ષશ કહે મુજ દિન વળિયો રે, મન મનોરથ સઘળો ફળિયો રે. ૩
(૪) શ્રી સબાહુ જિન સ્તવન શ્રી સુબાહુજિન અંતરજામી, મુજ મનનો વિશરામી રે, પ્રભુ અંતરજામી, આતમ ધર્મ તણો આરામી;
પર પરિણતિ નિષ્કામી ૨. પ્ર - ૧ કેવલ જ્ઞાન અનંત પ્રકાશી, ભવિજન કમળ વિકાસી રે, પ્ર ચિદાનંદ ઘન તત્ત્વવિલાસી, શુદ્ધ સ્વરૂપ નિવાસી રે. પ્ર. ૨ યદ્યપિ હું મોહાદિકે છલિયો, પરંપરિણતિશું ભલિયો રે, પ્ર. હવે તુજ સમ મુજ સાહિબ મલિયો, તિણે સવિ ભવભય ટલિયો રે. પ્ર. ૩ બેય સ્વભાવે પ્રભુ અવધારી, દુર્ગાતા પરિણતિ વારી રે; પ્ર ભાસન વીર્ય એકતાકારી, ધ્યાન સહજ સંભારી રે. પ્ર. ૪ બાતા ધ્યેય સમાધિ અભેદ, પર પરિણતિ વિચ્છેદે રે; પ્ર૦ ધ્યાતા સાધક ભાવ ઉચ્છેદે, બેય સિદ્ધતા વેદે રે. પ્ર. ૫ દ્રવ્યક્રિયા સાધન વિધિ યાચી, જે જિન આગમ વાચી રે, પ્ર પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, તિણે નવિ થાયે સાચી રે. પ્ર. ૬ પણ નવિ ભય જિનરાજ પસાથે, તત્ત્વરસાયણ પાયે રે; પ્ર. પ્રભુ ભક્ત નિજ ચિત્ત વસાવે, ભાવરોગ મિટ જાયે રે. પ્ર. ૭