SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આરંભ પરિગ્રહની નિવૃત્તિ પર જ્ઞાનીઓએ આપેલો ઘણો ભાર કારણકે જેના રાગ-દ્વેષ-મોહાદિ દોષ અને જ્ઞાન-દર્શન આવરણ ટળ્યા છે, તે જ પુરુષ આપ્ત હોવા યોગ્ય છે. એમ ત્યાં મહર્ષિ સમંતભદ્રસૂરિજીએ સર્વશ વીતરાગનું આપ્તપણું પરીક્ષાપ્રધાનીપણે સુયુક્તિથી સુપ્રતિષ્ઠાપિત કર્યું છે. (દોહરા) સન્મતિતર્કકરા નમું, સિદ્ધસેન સૂરીંદ્ર; આપ્તમીમાંસાકાર નમું, સમંતભદ્ર મુનીંદ્ર. शिक्षापाठ ३० : आरंभ परिग्रहनी निवृत्ति पर ज्ञानीओओ आपेलो घणो भार ૭૫ આત્માને સ્વરૂપમાં સ્થિર કરવારૂપ સંવર ક્રિયામાં મુખ્ય અંતરાય આરંભપરિગ્રહ છે; એટલા માટે Ο જ્ઞાનીઓએ આરંભપરિગ્રહની નિવૃત્તિ પર ઘણો ભાર આપ્યો છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં ‘દ્વિભંગી’ કહી છે કે-જ્યાંલગી આરંભપરિગ્રહની નિવૃત્તિ થતી નથી, ત્યાંલગી જીવને મતિજ્ઞાનાવરણીયથી માંડીને કેવલજ્ઞાનાવરણીય આદિ પ્રકાર નિવૃત્ત થતા નથી. ‘એમ સત્તર વાર તે ને તે વાત જણાવી' ત્યાં કહ્યું છે કે જીવને મતિજ્ઞાનથી માંડી યાવત્ કેવલજ્ઞાનાદિ કયારે ઉપજે? આરંભ પરિગ્રહથી નિવહૈં. કારણકે ‘આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમના મૂળ છે, વૈરાગ્ય ઉપશમના કાળ છે.' આરંભ પરિગ્રહ એ પ્રગટ આકુલતાનું કારણ અને નિરારંભ નિષ્પરિગ્રહ એ નિરાકુલતાનું કારણ છે. જેટલી આરંભ ઉપાધિ તેટલી આકુલતા ને દુ:ખ, જેટલી નિરારંભ નિરુપાધિ તેટલી નિરાકુલતા ને સુખ, એ પ્રત્યક્ષસિધ્ધ એવી નિર્વિવાદ વાત છે. છતાં વિપર્યાસ બુદ્ધિવાળો જીવ એથી ઊંધુંજ કલ્પી ઊંધુંજ પ્રવર્તન કરે છે ! તે તો એમ જ સમજે . છે કે આરંભ-સમારંભથી મને ભોગસુખ સાંપડશે. એટલે તે ભોગસાધનરૂપ ધન મેળવવા માટે નાના પ્રકારના હિંસાપ્રધાન આરંભો
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy