SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા (દોહરા) અનાસક્ત જલકમલવત, જ્ઞાની સદા અસંગ; અસંગાનુષ્ઠાને લહે, શીધ્ર જ મોક્ષ અસંગ. शिक्षापाठ २२ : सर्वोत्कृष्ट सिद्धि આત્મસિદ્ધિ એ જ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે. સર્વ પરભાવવિભાવના સ્પર્શલેશથી રહિત એવો અસંગ શુદ્ધ આત્મા સિદ્ધ કરવો એ જ સર્વ સાધકનું અંતિમ સાધ્ય છે. કારણકે ‘સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણે સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યા છે.” આ પરમ શાંતપણારૂપ અસંગ અનુષ્ઠાનની એકનિષ્ઠ આરાધનાથી જ આત્માનું સહજ એવું શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટે છે; અને આ સર્વોત્કૃષ્ટ શુદ્ધિ એ જ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે. આમ સાધ્ય સાધન ને સિદ્ધિનું સમસ્વરૂપ જે સમજ્યો છે એવા સાધક મુમુક્ષુને, શુધ્ધ આત્મસાધનરૂપ અસંગ નિગ્રંથપણાનું અપ્રમત્તપણે ઉત્કૃષ્ટ આરાધન કરતાં, આત્મવીર્યનો અપૂર્વ ઉલ્લાસ ફુરે છે. એટલે અપૂર્વકરણ વડે ધર્મસંન્યાસરૂપ અપૂર્વ સામર્થ્યયોગ પામી, તે ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ, યથાખ્યાત ચારિત્રરૂપ પરમ વીતરાગપણાને પામે છે. અર્થાત્ જેવું આત્માનું શુદ્ધ નિષ્કષાય સ્વરૂપ જ્ઞાનીઓએ આખ્યાત કર્યું છે, તેવું આત્મસ્વભાવમાં પૂર્ણ પ્રવૃતિરૂપ યથાખ્યાત” વીતરાગ ચારિત્ર તેને પ્રગટે છે. એટલે પછી આ અમોહસ્વરૂપ વીતરાગ યોગીશ્વર તત્ક્ષણ જ મૂળ શુ તે આત્મપદરૂપ ‘સયોગી જિન સ્વરૂપ’ પામી, ‘નિજ કેવલજ્ઞાન નિધાન પ્રગટાવે છે, અને પરમ જ્યોતિ સ્વરૂપ સહજાન્મસ્વરૂપે ઝળહળે છે. આવા ક્ષીણદોષ, ગુણાવતાર શ્રીમદ્ સર્વજ્ઞ ભગવાન સર્વલબ્ધિફલના ભોગી હોય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ,
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy