SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ પશાવબોધ મોટાગાળા शिक्षापाठ १०४ : हितार्थी प्रश्नो} भाग ४ પ્રશ્ન : યોગદષ્ટિ જનોમાં દર્શનવિવાદ કેમ ન હોય? ઉત્તર : સમદષ્ટિ એવા યોગદષ્ટિ જોગીજનો પડદર્શનને શુદ્ધ આત્મદર્શનના અથવા જિનદર્શનના અંગરૂપ જાણે છે, એટલે તેઓ સમન્વય કરી, છએ દર્શનને આત્મબન્ધરૂપ જાણી સમદૃષ્ટિથી આરાધે છે. “પદર્શન જિન અંગ ભણીજે. (શ્રી આનંદઘનજી) પ્રશ્ન : તેવો દર્શનસમન્વય તેઓ શી રીતે સાધે છે,? . ઉત્તર : તે સમદષ્ટિ જનો યથાયોગ્ય ન વિભાગ કરી જાણે છે. એટલે તે મહાજનો સ્યાદ્વાદશ હોઈ, તે તે દર્શન પોતપોતાના નયની અપેક્ષાએ કથંચિત-કોઈ અપેક્ષાએ સાચા છે, એમ “સાત પદનો ન્યાસ કરીને તે સમાધાન-સમન્વય કરે છે. એટલે જ “જિનવરમાં દર્શન સઘળા છે, દર્શન જિનવર ભુજના રે; સાગરમાં સઘળી તટિની સહી, તટિની સાગર ભજના રે.” (શ્રી આનંદઘનજી) પ્રશ્ન : સ્યાદ્વાદને કોઈ સંશયવાદ કહે છે તેનું કેમ? ઉત્તર : એમ કહે છે તેને મહાન અનેકાન્ત સિદ્ધાન્તના સ્વરૂપનું ભાન જ નથી. કારણકે ભિન્ન ભિન્ન નયઅપેક્ષાઓનો અનેકાન્ત સ્વીકાર કરે છે, છતાં અમુક કોઈ એક નયની અપેક્ષાએ તો તે આ આમ જ છે એવો નિ:સંશય નિશ્ચય કરાવે જ છે. પ્રશ્ન : એકાંતવાદ અને અનેકાંતવાદમાં શો ફેર? ઉત્તર : એકાંતવાદ આ વસ્તુ એકાંત આમ જ છે એમ નિરપેક્ષ કથન કરી આગ્રહ કરે છે; અનેકાંતવાદ આ વસ્તુ આ અમુક અપેક્ષાએ આમ છે એમ સાપેક્ષ નિરાગ્રહ કથન કરે છે. એટલે એકાંતવાદી ભલે આગ્રહી હોય, પણ સર્વસમન્વયકારી અનેકાંતવાદી તો સર્વથા સર્વત્ર નિરાગ્રહીજ હોય.
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy