SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૦ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા - शिक्षापाठ ८१ : निर्जराक्रम દયામૂર્તિ મહતુ પુરુષો આ ક્રમે કર્મની નિર્જરા કરી લપક શ્રેણી આશ્રી, શાશ્વત મોક્ષને પામે છે : પ્રથમ તો યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ત્રણ કરણ પૂર્વક જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભને ખપાવે; પછી મિથ્યાત્વમોહની, મિશ્રમોહની ને સમ્યકત્વમોહની એ ત્રણને ખપાવે. આમ દર્શનમોહની સાત પ્રકૃતિ ક્ષય થયે, ક્ષાયિક સમ્યગૃષ્ટિ હોય. આ સાત પ્રકૃતિ અસંયત સમદષ્ટિથી માંડીને અપ્રમત્ત સંયત પર્યત કોઈ પણ ખપાવે. જેણે આયુષ્ય બાંધ્યું છે તે શ્રેણિક રાજા જેમ, અત્રે જ અવસ્થિત રહે છે; પણ જેણે નથી બાંધ્યું તે ચારિત્રમોહના ક્ષપણાર્થે આગળ વધે છે, અને આઠમું અપૂર્વકરણ ગુણસ્થાનક પામી ત્યાં અપૂર્વ એવા સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ અને સ્થિતિબંધ કરે છે. આ અપૂર્વકરણનો સંખ્યય ભાગ ગયે, નિદ્રા-પ્રચલાનો બંધવ્યવચ્છેદ હોય છે; પછી ચરમ સમયે પરભવિક એવી દેવગતિ આદિ નામકર્મની ત્રીસ પ્રવૃતિઓનો, તેમજ હાસ્ય, રતિ-ભય-જુગુપ્સાનો બંધવ્યવચ્છેદ હોય છે. આમ અપૂર્વ આત્મસામર્થ્યથી જ્યાં આ પ્રકૃતિઓનો નવો બંધ ટળવારૂપ બંધવ્યવચ્છેદ થાય છે, એવા આ અપૂર્વકરણમાં ક્ષપકશ્રેણી પર આરોહે છે. પછી નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં,– સત્યાનદ્ધિત્રિક, નરક-તિર્યંચગતિ, એ બેની આનુપૂર્વી, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, આતપ, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ સાધારણ–એ સોળ પ્રકૃતિઓનો ક્ષય હોય છે. પછી અપ્રત્યાખ્યાનાવરણ ૪, પ્રત્યાખ્યાનાવરણ ૪ એમ કષાય અષ્ટકને ખપાવે છે. પછી નપુસંકવેદ, હાસ્યાદિ ષક, પુવેદ, સ્ત્રીવેદ ખપાવે છે. પછી કુમે કરીને સંજ્વલન ક્રોધ-માન-માયાને ખપાવે છે, અને લોભને ખંડ ખંડ કરી ખપાવે છે. તેમાં બાદર ખંડોને ખપાવતો નવમા અનિવૃત્તિનાદર ગુણસ્થાને ને સૂક્ષ્મ ખંડોને ખપાવતો દશમાં
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy