SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ સનાતન ધર્મ ૨૦૧ शिक्षापाठ ७५ : सनातन धर्म સનાતન ધર્મ એટલે શું? સનાતન એટલે શાશ્વત, સદા સ્થાયી રહેનારો; અને ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ. “વત્થસદાવો છો !' સનાતન વસ્તુ કોઈ હોય તો તે આત્મા છે. એટલે આ આત્માનો જે વસ્તુસ્વભાવરૂપ ધર્મ તે જ સનાતન શાશ્વત ધર્મ છે. બાકી બીજું બધું કલ્પના માત્ર છે. જગતમાં સર્વ કોઈ પોતપોતાના ધર્મને સનાતન સ્થાપન કરવા મથે છે, અને આખું જગત “ધર્મ ધર્મ કરતું ફરે છે, “ધરમ ધરમ કરતો સહુ જગ ફિરે,” પણ તેને આ ધર્મના મર્મની ખબર નથી. આત્મા પોતાના શુદ્ધ જ્ઞાનદર્શનમય સ્વભાવમાં વર્તે, તે જ વાસ્તવિક એવો વસ્તુ ધર્મ છે. આ આત્મધર્મ આત્માનો સ્વભાવભૂત હોઈ સનાતન છે, શાશ્વત છે, ત્રિકાલાબાધિત છે. વાસ્તવિક સનાતન ધર્મ એ જ છે. નિજ આત્મસ્વભાવમાં વર્તવારૂપ આ સનાતન આત્મધર્મ એ જ આત્માનો સ્વધર્મ-સ્વસમય છે; અને આત્માથી અન્ય એવા પરભાવ વિભાવમાં વર્તવું એ જ પરધર્મ–પરસમય છે. આ આત્મસ્વભાવરૂપ “સ્વધર્મ” માં વર્તતાં નિધન-મૃત્યુ થાય તે શ્રેય છે, પણ પરભાવમાં વર્તવારૂપ ‘પરધર્મ' ખરેખર ભયાવહ છે! સ્વધર્ષે નિધનં યઃ પર મયાદા આ ધર્મ તો પોતાના આત્મામાં જ રહ્યો છે અને તેમાંથી જ આવિર્ભત-પ્રગટ કરવાનો છે;” અથવા આ આત્મા પોતે જ ધર્મ છે એટલી સીધી સાદી વાત લોક સમજતા નથી, અને પારકે ઘેર ધર્મ સૂંઢતા ફરે છે, પણ પોતાને ઘેર જ ધર્મ છે તે દેખતા નથી! અને કસ્તૂરીઆ મૃગ જેવું આચરણ કરે છે! આ ધર્મમૂર્તિ આત્મારૂપ “પરમ નિધાન પ્રગટ મુખ આગળ” ખુલ્લો પડ્યો છે, તેને ઉલ્લંઘી જઈને તેઓ તેની શોધમાં ન્હાર નીકળી પડયા છે! જેમ નિર્મલતા એ સ્ફટિક રત્નનો સ્વભાવ હોઈ તેનો ધર્મ છે; તેમ કષાયઅભાવરૂપ નિર્મલતા એ જ આત્માનો શુદ્ધ સ્વભાવ હોઈ આત્માનો ધર્મ છે. પણ સ્ફટિક રત્નનો સ્વભાવ નિર્મલ છતાં રાતું ફૂલ
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy