SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીશ મહામોહનીય સ્થાનક ૧૫૩ ૫. બહુજનના નેતાને ને પ્રાણીના તારણહારને હણે. સાધારણ ગ્લાન પ્રત્યે છતી શક્તિએ ઔષધાદિ ન કરે. ૭. ધર્મમાં ઉપસ્થિત સાધુને ધર્મકર્મથી ભ્રષ્ટ કરે. ૮. મોક્ષ પ્રત્યે લઈ જનારા એવા ન્યાયયુક્ત મોક્ષમાર્ગના અપકારમાં જે વર્તે. ૯. અનંતજ્ઞાની એવા જિનોના જે અવર્ણવાદ ભાખે. ૧૦. મંદ બુદ્ધિથી જે આચાર્ય-ઉપાધ્યાયને નિન્ટે. ૧૧. તે જ જ્ઞાનીઓની સમ્યક વૈયાવચ્ચાદિ ન કરે. ૧૨. પુનઃ પુન: કલાહાદિ અધિકરણ (મતભેદ-કલહાદિ) ઉપજાવી જે તીર્થનો ભેદ કરે. ૧૩. જાણીને જે (વશીકરણાદિ) અધાર્મિક યોગ પદે પદે પ્રયુંજે. ૧૪. કામોને વમીને જે એને આ જ ભવમાં પ્રાર્થે. ૧૫. પોતે અબહુશ્રુત છતાં હું બહુશ્રુત છું એમ જે અભિક્ષણે ભાખે. ૧૬. પોતે અતપસ્વી છતાં હું તપસ્વી છું એમ વદે. ૧૭. ઘર વગેરેને આગ લગાડી જે અંદરમાં રહેલા બહુજનને હિંસે. ૧૮. પોતે અકૃત્ય કરી, આણે (બીજાએ) કર્યું એમ કહે. ૧૯. માયાયોગથી મુક્ત થઈને પ્રણિધિ દ્વારા છેતરપિંડી કરે. ૨૦. સત્ય વદનારને તું સર્વ મૃષા વદે છે એમ કહે. ૨૧. સદા જે ઝંઝા-ઝઘડા કર્યા કરે. ૨૨. માર્ગે ધાડ પાડી જે પ્રાણીઓનું ધન હરે. ૨૩. ઉપાયથી વિશ્વાસ ઉપજાવી, તેની જ દારાને લુપે. ૨૪. પોતે અકુમાર છતાં હું કુમાર છું એમ અભિક્ષણે કહે. પોતે અબ્રહ્મચારી છતાં હું બ્રહ્મચારી છું એમ કહે. ૨૬. જેનાથી ઐશ્વર્ય પમાડવામાં આવ્યો, તેના જ વિત્તનો લોભ ધરે. જેના પ્રભાવ થકી પોતે ઊઠ્યા-ઉંચે આવ્યા તેને જ અંતરાય ૨૫. ૨૮. સેનાપતિને, શાસન કરનારને, ભર્તારને અથવા ઈષ્ટ નિગમના નાયકને અથવા શ્રેષ્ઠિને હણે.
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy