SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પ્રજ્ઞાવબોધ મોલમાળા હિન્દોથી પર-અસ્પૃશ્ય, એવા ઉત-ઉંચા આત્મસ્વરૂપના આસનમાં આસીન- બિરાજમાન આ ઉદાસીને મહાત્માઓની સમદર્શિતા પરમ અદ્ભુત આશ્ચર્યકારી છે. (ધર) વાંસીથી કોઈ છેદે, મલયજથી વિલેપે ભલે કોઈ અંગે, નિન્દ કુવાક્યથી કો, સુવચનથી પ્રશંસી ભલે કોઈ વદે; વર્ષે કો ઉપસર્ગો સુમનસગ ભલે કંઠમાં કોઈ રોપે, ના રીઝે એક પ્રત્યે, ઈતર પ્રતિ ક્ષમામૂર્તિના લેશ કોપે. (દોહરા) સર્વ ધંધથી પર સદા, ઔદાસીન ધરંત: સમતામૂર્તિ સંતની, સમતા અહો! અનંત शिक्षापाठ ५६ : माथे न जोइए ધના-શાલિભદ્રની અદ્ધિ હજો! એમ જેની અઢળક ઢદ્ધિની કીર્તિગાથા હજુ પણ લોકસ્મૃતિમાં જળવાઈ રહી છે, તે આ મહાપુણ્યશાળીઓની ગદ્ધિ કેવી અદ્ભુત હશે? અને એ સર્વ અદ્ધિને પણ ક્ષણમાત્રમાં તૃણની જેમ છોડીને અનન્ય સમભાવે ચાલી નીકળેલા આ ત્યાગવીર મહાત્માઓનો ત્યાગ પણ કેવો ભવ્ય હશે? એ એમના પવિત્ર ચરિત્ર પરથી સ્વયં જણાઈ આવે છે. એક દિવસ કોઈ વણિકો મહામૂલાં રત્નકંબલો લઈને મગધપતિ શ્રેણિક (બિંબિસાર) મહારાજા પાસે આવ્યા. પણ તે બહુ મોંઘા હોવાથી રાજાએ એક પણ ખરીદવા ઈચ્છા દર્શાવી નહિ. એટલે નિરાશ થયેલા વ્યાપારીઓ રાજગૃહી નગરીમાં ફરતા ફરતા શાલિભદ્રના આવાસે આવ્યા. ત્યાં તેની માતા ભદ્રા શેઠાણીએ પૂછયું–તમારી પાસે કેટલા કંબલ છે? તેઓએ કહ્યું– સોળ. ભદ્રાએ કહ્યું–બસ સોળ જ! હારે તો બત્રીસ પુત્રવધુઓ માટે બત્રીસ જોઈએ. વારુ, આ બધાય હું રાખી લઈશ; અર્ધા અર્થો ટુકડો કરી એમને પગલૂછણા માટે વહેંચી આપીશ. એમ કહી હોં માગ્યા મૂલ્ય આપી તે સોળસોળ કંબલો તેણે ખરીદી
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy