SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્ત યોગ ૧૧૭. ભૂત માત્રમાં મૈત્રી ધરાવે, ગુણ ભાળી આનંદે રે; પરનું દુ:ખ પોતાનું માની, પરદુ:ખે અનુકંપે રે ... સા. ૨ પરસ્ત્રી પ્રત્યે માત બહેન ને, પુત્રી દષ્ટિ રાખે રે; સ્વપ્ન પણ ભૂભંગ ન જેનો, વિકારરેખા દાખે રે ... સા૩ દીન દુ:ખી સેવાના કાર્યું, હાય કરે વણ માગ્યું રે; પરોપકાર કરણનું જેને, વ્યસન વસમું લાગ્યું રે ... સા. ૪ આત્મ સમા સહુ જીવ માનીને, સાધર્મિક નિજ જાણેરે; તન મન ધનથી સાર કરતો, વત્સલતા ખૂબ આણે રે .. સા. ૫ સપ્ત વ્યસનને દૂર કરતો, ભક્ષ્યાભઢ્ય સંભાળે રે; દ્રવ્યભાવથી શૌચ ચરતો, સદાચાર શુભ પાળે રે ... સા. ૬ નિત નિત નિર્મળ રત્નત્રયીનું, ભૂષણ ધરતો અંગે રે; શમ સંવેગાદિ ગુણવંતો, વૈરાગી અંતરંગે રે ... સા. ૭ રહ્યો સંસારે પણ સંસારી, રંગે નવ લેપાયે રે; જલમાં કમલ રહ્યું છે તોયે, જલનો સંગ ન થાયે રે .... સા. ૮ શ્રદ્ધાનું બખ્તર દઢ હેરી, ઢાલ વિવેકની ધારી રે; ભક્તિ અસિથી દાસ ભગવાને, મોહમંડલી મારી રે ... સા. ૯ शिक्षापाठ ४६ : प्रशस्त योग દેશથી કે સર્વથી શુદ્ધ ધર્મનું પાલન કરવું તે મોક્ષસાધક યોગ છે; અને સ્વરૂપલક્ષ્યવાળા તે પ્રત્યેક યોગને જ્ઞાનીઓએ પ્રશંસેલો છે. કારણ કે ધર્મ એટલે આત્મસ્વભાવ અને આ આત્મસ્વભાવ સાથે મુંજન થવું તે જ યોગ. એટલે જેના વડે કરીને આત્મા સ્વરૂપનું અનુસંધાન પામે, એવો સ્વરૂપલક્ષ્યવાળો પ્રત્યેક પરિશુદ્ધ ધર્મવ્યાપાર તે જ્ઞાનીઓએ પ્રશંસેલો પ્રશસ્ત યોગ છે. અથવા સ્વરૂપના લક્ષ્યપૂર્વક મન-વચન-કાયાના યોગનો સદ્ભક્તિ આદિમાં શુભ પ્રયોગ કરવો, તે પણ પ્રશસ્ત યોગ છે. કારણકે જેણે આત્મસ્વરૂપ યુજનરૂપ યોગની સિદ્ધિ કરી છે, એવા સત્ યોગીઓ
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy