SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશાવબોધ મોક્ષમાળા પુણ્ય-પાપ તત્ત્વ – શુભ યોગ તે પુણ્યનો આસ્રવ ને અશુભ યોગ તે પાપનો આસવ છે. અહિંસાદિ શુભ ભાવથી પુણ્ય આવે છે ને હિંસાદિ અશુભ ભાવથી પાપ આવે છે. પુણ્યનું ફળ શાતા, શુભ આયુષ્ય, શુભ નામ, અને ઉચ્ચ ગોત્ર છે; પાપનું ફળ તેથી વિપરીત છે. પણ બન્નેનું ફળ સંસાર જ છે, એટલે એ રીતે એ બેમાં તફાવત નથી. કારણકે પુણ્ય સોનાની બેડી, તો પાપ લોઢાની બેડી, એમ બન્ને બંધનરૂપ જ છે. બંધ તત્ત્વ-જીવ, સકષાયપણાને લીધે, કમને યોગ્ય પુદ્ગલો યોગ થકી બધી બાજુથી ગ્રહે તે બંધ. જીવના રાગાદિ પરિણામ તે ભાવબંધ અને તેથી કર્મપરમાણુનો સંબંધ તે દ્રવ્યબંધ. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એમ બંધ ચાર પ્રકારનો છે. પ્રકૃતિ ને પ્રદેશ યોગથી અને સ્થિતિ ને અનુભાગ કષાયથી બંધાય છે. કર્મનો અમુક ફળ આપવાનો સ્વભાવ તે પ્રકૃતિબંધ; કાળમર્યાદા તે સ્થિતિબંધ, શુભ-અશુભ વા ઘાતી-અઘાતી રસ, વિપાક, અનુભવ તે અનુભાગ બંધ; કર્મપુદ્ગલોનું અલ્પ બહુ સંખ્યામાં ગ્રહણ તે પ્રદેશ બંધ. આ ચાર પ્રકારના બંધ પરત્વે મોદકનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મની મૂળ પ્રકૃતિ છે, તેની ઉત્તર પ્રકૃતિ ૧૫૮ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ બંધહેતુ છે. સંવર તત્ત્વ-આસ્ત્રવહેતુઓનો નિરોધ તે સંવર. “આસવને રોકી શકે એવો ચૈતન્યસ્વભાવ તે ભાવસંવર અને તેથી દ્રવ્યારાવને રોકે તે દ્રવ્ય સંવર.” વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય, ચારિત્ર તે ભાવસંવરના વિશેષ છે, જેથી કરીને કર્મ આમ્રવના દરવાજા સંવૃત (બંધ) કરી, આત્મા સ્વરૂપને વિષે સંવૃત (ગુપ્ત) થાય છે. આ સંવરની પરાકાષ્ઠા અમોહસ્વરૂપ એવા યથાખ્યાત ચારિત્રમાં પ્રાપ્ત થાય છે,–જ્યાં આત્માનું જેવું શુદ્ધ સ્વરૂપ જિન ભગવંતોએ આખ્યાત કર્યું છે, તેવું નિષ્કષાય વીતરાગ સ્વરૂપ પ્રગટે છે. નિર્જરા તત્વઆત્માને લાગેલા કર્મનું નિર્જરવું-ખરી જવું તે નિર્જરા. કર્મ પુદ્ગલોનો રસ ભોગવાઈ જાય તે ભાવનિર્જરા ને તે
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy