SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવે એ જ દિવસે “હે પ્રભુ”, “યમનિયમ”, “જડભાવે”, “જિનવર કહે છે જ્ઞાન” આ ચાર પદની અદ્ભુત રચના ખંભાત-વડવાની નજીક રાળજ ગામના વનક્ષેત્રે કરીને આપણા ઉપર અનંત કરુણા કરી છે. પ. પૂ. પ્રભુશ્રીની સેવામાં પૂ. બ્રહ્મચારીજીએ ઉપરોક્ત ચાર પદના જે અર્થ કર્યા છે તે જ આ પુસ્તિકામાં મૂકવામાં આવ્યા છે. લઘુ કદ હોવા છતાં આ શતાબ્દી પુસ્તિકા “હે પ્રભુ” સર્વ આત્માર્થી જીવોને મધુરતા ચખાડશે, તત્ત્વ પ્રીતિ રસ પાશે, અને મોક્ષ રુચિ ઉત્પન્ન કરશે. વિશેષમાં શ્રી પરમકૃપાળુદેવના સાક્ષાત હસ્તાક્ષર પણ આ પુસ્તિકામાં છે–તે આપણા માટે જ્ઞાનીનો અક્ષરદેહ છે. પ્રવચન ભક્તિરૂપ આ કાર્યમાં જેમણે તન, મન, ધન અને વચનથી ઉત્સાહપૂર્વક કામ કર્યું છે, તે સર્વને પણ તે આત્મલાભનું કારણ છે. આ પુજનિક પુસ્તિકા તથા ભક્તિની કેસેટનો વિનય તથા વિવેકપૂર્વક ઉપયોગ કરવાની નમ્ર વિનંતી છે.
SR No.007112
Book TitleHe Prabhu
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyaya Mandir
PublisherShrimad Rajchandra Swadhyaya Mandir
Publication Year1992
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy