SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અનેષણય આહાર વગેરેને ગ્રહણ કરવાથી સુધાપરીષહનો વિજય શકય નથી આથી બધા પ્રકારના અનેષણીય આહારને ત્યાગ કરતા થકા શરીરનું નિર્વાહ કરવું જોઈએ. (૨) પિપાસાપરીષહજય પણ પૂર્વોક્ત પ્રક રથી જ સમજ ઘટે. (૩) ઘણું સખત ઠંડી પડવા છતાં પણ તેના નિવારણના માટે અકલ્પનીય વસ્ત્રોને ગ્રહણ ન કરવા પરતુ જીર્ણ વસ્ત્રોને જ ધ રણ કરીને ઠંડીથી બચવા માટે કંઈ પ્રયત્ન ન કર, આગમપ્રતિપાદિત વિધિ અનુસાર જ પહેરવા-ઓઢવાના વસ્ત્ર આદિની ગવેષણા કરવી અને તેને પરિભેગ ક, ઠંડીથી પીડિત થઈને જાતે અગ્નિ ન પેટાવ, અન્ય દ્વારા પેટાવવામાં આવેલી અગ્નિની આતાપના ન લેવી, આ બધું શીતપરીષહને જીત્યા એમ કહેવાય આ પ્રકારે ઠંડીથી પડતી મુશ્કેલીને સહન કરવી શીતપરીષહજય છે, (૪) ગમીના તાપથી અકળાઈને પણ શ્રમણ રનાન કરતું નથી, પંખે હલાવતા નથી અથવા કઈ દ્વારા છાંયડો કરાવર વી તેનું સેવન કરતું નથી, પરન્ત પડતી ગરમીને સમ્યક પ્રકારથી સહન કરે છે. ગરમીનું નિવારણ કરવા માટે છત્રી વગેરે ધારણ કરતા નથી. આ રીતે તે ઉષ્ણુતાને સહન કરવાથીઉણપરીષહ જય થાય છે. (પ) આવી જ રીતે ડાંસ, મચ્છર માંકણ અને વીંછી વગેરેના કરડવા છતાં પણ, જે સ્થાને બેઠા હોય ત્યાંથી ચલાયમાન ન થાય, બીજા સ્થાને ન જાય હાથ વગેરેથી અથવા ધુમાડો વગેરે કરીને તેમને ભગાડે નહી, અથવા પંખા વગેરે દ્વારા તેમને ભગાડે નહીં. આ પ્રમાણે કરવાથી દંશમશકપરીષહજય થાય છે () આગમોક્ત વિધિ અનુસાર શરીરના નિર્વાહ માટે અપવસ્ત્ર આદિ ગ્રહણ કરવાથી અચેલપરીષહજય થાય છે. દિગંબરેના કથન અનુસાર વસ્ત્રોથી સર્વથા હત થવું લવ નથી. આગમમાં બે પ્રકારના કપ કહેવામાં આવ્યા છે-જિનક૯પ અને સ્થવિરક૫ રથવિકિપમાં પરિનિષ્પન્ન પુરૂષ ક્રમથી ધ વણ કર્યા બાદ મુનિ દીક્ષા અંગિકાર કરે છે, ત્યાર બાદ બાર વર્ષો સુધી ત્રિોનું અધ્યયન કરે છે, પછી બાર વર્ષ સુધી સૂત્રેના અર્થ શીખે છે, ત્યારબાદ બાર વર્ષ સુધી અનિયત રૂપથી નિવાસ કરતે થકે અનેક દેશોનું દર્શન કરે છે અર્થાત્ દેશદેશાન્તરમાં પરિભ્રમણ કરે છે, દેશાટન કરતે કરતે શિષ્ય બનાવે છે અને શિષ્ય બનાવ્યા બાદ અશ્રુઘત વિહાર કરે છે. જિનકત્રણ પ્રકારના છે–પ્રકપિત, શુદ્ધ પરિવાર અને યથાલન્દ ! જે જિનક૯૫ને ધારણ કરવા માટે યોગ્ય છે અને જિનકલ્પને અગિકાર કરવા ઈએ છે તે પહેલામાં પહેલું તપ-સવ આદિની ભાવનાથી પિતાના આત્માને ભાવિત કરે છે અને આત્માને ભાવિત કરી દીધા પછી બે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૭ ૨
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy