SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ એક (અનેક) વ્યાધિઓને હુમલેશ થવા છતાં પણ જે તેમને તામે થતા નથી, વિશિષ્ટ ઋદ્ધિ પ્રાપ્ત થવા છતાં પણ જે શરીરની પ્રત્યે નિસ્પૃહ હાવાના કારણે જે વ્યાધિએની પ્રતીકાર કરતા નથી, એવા મુનિરાજનું સમભાવપૂર્વક રેગાને સહન કરી લેવું-રાગપરીષહજય કહેવાય છે. (૧૭) તૃણુસ્પશ પરીષહ-સુકું ઘાસ. અત્યન્ત કઠોર કાંકરા પથ્થરના ટુકડા, કાંટા-શૂલ વગેરે વાગવાથી ઉત્પન્ન થનારી શારીરાઘાતની વેદના ઉત્પન્ન થયા છતાં પણ તેના વિચાર નહીં કરનારા અને ચર્યા, શય્યા અને નિષદ્યામાં પ્રાણિઓની મુશ્કેલીઓને દૂર કરવામાં હમેશાં દત્તચિત્ત સાધુનુ નૃપશ પરીષહતું સહન કરવુ' એમ કહેવાય છે. (૧૮) જલ્લમલપરીષહુ-જલ્લમલ અર્થાત્ પરસેવાથી જામેલા મેલને દૂર કરવા માટે આજીવન સ્નાનત્યાગવતને ધારણ કરનાર, સૂર્યના પ્રચંડ કરણાના પ્રતાપથી ઉત્પન્ન થયેલા પસેવાથી શરીર ભીનું થઇ જવાના કારણે પવનથી ઉડેલી રેતીના-રજકણાથી જેનુ શરીર વ્યાપ્ત થઇ ગયું છે, દાદર, ખસ અને કચ્છ ઉત્પન્ન થવાના કારણે ખજવાળ ઉત્પન્ન થવા છતાં પણ ભુજવાળવા, મન કરવા અથવા મસળવા માટે જેનું ચિત્ત વ્યાકુળ નથી, પેાતાના શરીર પર જામેલા મેલ અને પારકાના શરીરની નિમ ળતાના સકલ્પ પણ જેના માનસમાં ઉત્પન્ન થતા નથી, જે સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી નિર્મળ પાણીથી પ્રક્ષાલન કરીને કમ–મળ રૂપી કાદવના સમૂહને હડસેલવામાં જ સદા તત્પર રહે છે, તે સાધુ જલ્લમલપરીષહના વિજેતા કહેવાય છે. (૧૯) સત્કારપુરસ્કારપરીષહ-આ લાકા મારા પ્રશંસાત્મક સત્કાર કરતાં નથી । કામ-કાજમાં મને બધાથી આગળ કરતાં નથી । આમ ત્રણ અને પુરસ્કાર જેવું પણ કઇ ગેાઠવતાં નથી ! હુ ચિરકાળથી બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યો છું, ઉગ્ર તપસ્વી છુ. તા પણ કાઈ મને પ્રણામ કરતું નથી ! મારી ભક્તિ કરતું નથી ! સત્કાર અને આસત પ્રદાન કરતા નથી, આ ભક્તિ કરનારાઓ મિથ્યાદષ્ટિ છે. જે કશુ પણ જાણતા નથી તેને સર્વજ્ઞ માનીને પેાતાના શાસનની પ્રભાવના કરે છે. ! આ મિથ્યાષ્ટિ-મૂઢ ન હત તેા મારા જેવાએની સેવા કેમ ન કરત? આ પ્રકારના અપ્રશસ્ત વિચાર જેના મનમાં પ્રવેશ પણ કરતા નથી, તે સાધુ સત્કારપુરસ્કારપરીષહના વિજયી કહેવાય છે. (૨૦) પ્રજ્ઞાપરીષહ-હુ. ચૌદ પૂર્વાંના ધારક છું, આચાર ાદિ અંગે અને ઉપાંગેાના જ્ઞાતા છું, મારી આગળ બીજા લેાકેા એવી રીતે પ્રતિભાવિહાણા છે જેમ સૂર્યની પ્રભા આગળ આગીયા નિસ્તેજ થઈ જાય છે, આ રીતે પેાતાની પ્રજ્ઞાના અભિમાનના ત્યાગ કરવા અને પેાતાને અલ્પબુદ્ધિ સમજીને તથા બીજાને બુદ્ધિશાળી નેઇ ને મનમાં ખિન્નતા ન લાવવી પ્રજ્ઞાપરીષહજય કહેવાય છે. (૨૧) અજ્ઞાનપરીષહે-‘આ અજ્ઞાની છે, જનાવર જેવા છે, કશું જ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ७०
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy