SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ માયા, છળ, કપટ આદિને ત્યાગ આજવધર્મ છે. ભાવદષથી યુક્ત મનુષ્ય માયાચારથી યુક્ત થઈને આ લોક અને પરલોકમાં અશુભ ફળ ઉત્પન કરવાવાળા અકુશળ કર્મોને ઉપચય કરે છે. અકુશળ કર્મોને ઉપચય કરનાર શ્રેયસ્કર તથા મેક્ષના સાધન સમ્યક્દર્શન આદિ પરત્વે પણ શ્રદ્ધા રાખતે નથી. આ આર્જવ ધર્મ કર્માસ્ત્રના નિરોધ રૂપ સંવરનું કારણ હોય છે. () માર્દવ –મૃદુ અર્થાત કે મળને ભાવ અથવા કર્મ માર્દવ છે. વિનમ્રતા ગર્વથી રહિત થવું, જાતિ, કુળ સમ્પત્તિ વગેરેના મદને નિગ્રહ કરો. આ બધું માર્દવ કહેવાય છે, મદ કરવાથી માનને નાશ થાય છે. વડીલજનેના આગમન પ્રસંગે ઊભા થઈ જવું, તેમને આસન આપવું, હાથ જોડવા, યથાયોગ્ય વિનય કરવો તથા ચિત્તમાં અહંકાર ઉત્પન ન થવા દે આ બધાંથી જાતિમદ અને કુલમદ આદિને વિનાશ થાય છે. જે પુરૂષ જાતિના કુળના, રૂપના, મીલકતના, જ્ઞાનના, શ્રતના લાભના અથવા વીર્યના મદથી આંધળા થઈ જાય છે, તે ઘણુ બધાં કર્મો બાંધતા હોય છે આથી માઈવધર્મના સેવનથી જાતિમદ, કુળમદ આદિને વિનાશ થઈને સંવરની ઉત્પત્તિ થાય છે. માર્દવના અભાવમાં જાતિમદ, કુળમદ રૂપમદ, એશ્વર્યમદ આદિ આઠ મદસ્થાનેથી ઉત્પન્ન થઈને, પુરૂષ પારકી નિન્દા અને આત્મપ્રશંસાની રૂચિવાળ, તીવ્ર અહંકારથી ઉપહત બુદ્ધિવાળે થઈને અશુભ ફળ આપનાર અકુશળ કમેને સંચય કરે છે. શ્રેયસ્કર અને મોક્ષના સાધન સમ્યક્દર્શન આદિને ઉપદેશ સાંભળીને પણ તેમનામાં શ્રદ્ધા રાખતા નથી આથી જાતિ મદ આદિને સમૂળ વિનાશ કરવા માટે માર્દવધર્મનું આસેવન કરવું જોઈએ, (૫) લાઘવ–લાભને ત્યાગ અથવા લઘુતાને લાઘવધર્મ કહે છે. આ પણ સંવરનું કારણ છે. લાઘવધર્મના અભાવમાં લાભ રૂપ દેષના કારણુ ક્રોધ, માન, માયા, પ્રાણાતિપાત, મૃષાવાદ, ચેરી, મિથુન અને પરિગ્રહ રૂપ ગૌરવ ભારેપણું)થી યુક્ત થયેલે આત્મા, ભાવ-લાઘવથી રહિત હોવાના કારણે ગુરૂ બની જાય છે. ભાવગૌરવથી યુક્ત આત્મા આ લેકમાં તેમજ પરલોકમાં અશુભ ફળ આપનારા, અકુશળ પાપકર્મોને સંચય કરે છે, અને જેણે અકુશળ પાપકર્મોને સંચય કર્યો છે તે જીવ મોક્ષના સાધન સમ્યફદશને આદિને ઉપદેશ સાંભળીને પણ તેમનામાં શ્રદ્ધા રાખતા નથી. આથી મમતા પરિત્યાગ રૂપ ભાવલાઘવ અને નિઃસંગતા રૂપ દ્રવ્યલાઘવ સંવરના કારણ છે. (૬) સત્ય–જે સત્ અથવા પ્રશસ્ત અર્થમાં હોય તે સત્ય છે દિક આદિમાં પાઠ હોવાથી “યત્” પ્રત્યય થઈને “સતથી સત્ય શબ્દ નિષ્પન્ન થયેલ છે. તાત્પર્ય એ છે કે યથાર્થ પદાર્થની પ્રતીતિ ઉત્પન કરનારું વચન સત્ય કહેવાય છે, આ સત્ય વચન પુરૂષ (કઠાર) ન હોવું જોઈએ, નિષ્ફર શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૫૧
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy