SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા પરિષહજય છે. સત્ આચરણને અથવા જેના દ્વારા સત આચરણ કરવામાં આવે તેને ચરિત્ર કહે છે. તપશ્ચર્યાને તપ કહે છે. આ બધાં આસવ નિરોધરૂપ સંવરના કારણ છે મેરા તત્વાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં સંવરના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું આથી હવે તેના કારણેનું પ્રરૂપણ કરીએ છીએ સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહ ચારિત્ર અને તપ એ સંવરના હેતુ અથવા ઉપાય છે. આમાંથી સર્વજ્ઞ દ્વારા પ્રણીત જ્ઞાન અનુસાર ગમન ભાષણ આદિ પ્રવૃત્તિ કરવી સમિતિ છે. સમિતિના પાંચ ભેદ છે. આ સમિતિઓ સમ્યફ યતનારૂપ પ્રવૃત્તિ હેવાના કારણે સંવરને ઉત્પન્ન કરે છે. જેના કારણે આત્માને સંસારના હેતુભૂત કાયયાગ આદિ વ્યાપારથી ગેપન-રક્ષણ થાય તે ગુપ્તિ છે તેના ત્રણ ભેદ છે--મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયપ્તિ કર્મને આ સ્ત્રવને રેકાવાળા પુરૂષ માટે ગુપ્તિ આદિ કારણ છે. નરક વગેરે દુર્ગતિમાં પડતાં થકા જીવને જે ધારણ કરે-બચાવે તે ધર્મ છે તેના ક્ષમા વગેરે દશ ભેદે છે. સતત ચિન્તન કરવું તે અનુપ્રેક્ષા છે. એમાં પણ સંવરની સાધનામાં સરળતા થાય છે. એવી જ રીતે ભૂખ તરસ વગેરેને સમભાવથી સહન કરવા તે પરીષહ છે. આ પરીષહ કોઈવાર જાતે ઉત્પન્ન થાય છે, જયારે કદી, કદી, દેવ મનુષ્ય અથવા તિય ચ દ્વારા ઉત્પન કરવામાં આવે છે. તેમને જય અર્થાત્ સભ્યપ્રકારથી સહન કરવું એ પરીષહ છે. આચરણ કરવું અથવા જેનું આચરણ કરવામાં આવે એ ચારિત્ર કહેવાય છે. જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોના ચય (સમૂહ) ને ખાલી કરવાના કારણ–તેને ચારિત્ર કહે છે. તે સામાયિક આદિના ભેદથી પાંચ પ્રકારનું છે, જે તપાવી શકાય તે તપ અથવા જે કત્તને તપાવે તે તપ તે અનશન આદિના ભેદથી બાર પ્રકારનું છે. આ સાતે આસવ નિરોધ રૂપ સંવરના કારણ છે. ઈર્યા આદિ પાંચ સમિતિઓ છે, ત્રણ યોગેના નિરોધ રૂ૫ ત્રણ ગુપ્તિએ છે, ક્ષમામાર્દવ આદિ દશ પ્રકારના ધર્મ છે, અનિત્ય આદિ બાર ભાવનાઓ અનુપ્રેક્ષાઓ છે, સુધા, પિપાસા આદિ બાવીસ પરીષહનો વિજ્ય છે, સામાયિક સંયમ આદિ પાંચ પ્રકારના ચારિત્ર છે, છ અનશન આદિ બાહા અને છ પ્રાયશ્ચિત આદિ આવ્યંતર, એમ બાર પ્રકારના તપ છે. સમિતિથી પ્રારંભ કરીને તપશ્ચરણ પર્યન્ત બધા સંવરના ઉપને અનુક્રમથી સ્વરૂપ, ભેદ અને ઉપભેદ દર્શાવતું થયું કથન પછીથી કરીશું. શંકા–આ સમિતિ આદિ આસવનિરોધ રૂપ સંવરના કારણે કેવા પ્રકારના હોય છે? શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy