SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સંવરકે સ્વરૂપકા નિરૂપણ સાત અધ્યાય | સંવર તત્વનું વિવેચન | ગાવાનોફો સંવ” ઈત્યાદિ સવાથ– આમ્રવને નિરોધ થવે સંવર છે ૧૫ તવાર્થદીપકા–પૂર્વ સૂત્રમાં ક્રમપ્રાપ્ત છઠાં અધ્યાયમાં આસ્રવ તત્વનું વિવેચન કરવામાં આવ્યું હવે સાતમું તત્વ સંવરનું વિવેચન કરવા માટે સાતમાં અધ્યાયની શરૂઆત કરવાની સાથે સર્વ પ્રથમ સંવરનું લક્ષણુ કહીએ છીએ-મિથ્યાવાદિ નવીન કર્મોના આગમનના કારણભૂત આસવનું અટકી જવું સંવર કહેવાય છે. સંવર બે પ્રકારનાં છે-દ્રવ્યસંવર અને ભાવસંવર કે ઈ ચિકણ માટી આદિ દ્રવ્ય દ્વારા, પાણીની સપાટી ઉપર તરતી નૌકા આદિમાં નિરન્તર પ્રવેશ કરવાવાળા જળને રોકવું દ્રવ્ય સંવર છે અને સમ્યકત્વ સમિતિ ગુપ્તિ આદિ દ્વારા આત્મારૂપી નૌકામાં પ્રવિષ્ટ થતાં કર્મરૂપી જળનો નિરોધ કર ભાવસંવર છે. આ ભાવસંવર સમ્યક્ત્વ આદિ ભેદથી વીસ પ્રકારના હોય છે તથા સમિતિ ગુપ્તિ આદિના ભેદોથી સત્તાવન પ્રકારના હોય છે આ રીતે બધાં મળીને ભાવસંવરના સીત્યોતેર ભેદ થાય છે તત્વાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં છઠા અધ્યાય સુધી અનુક્રમથી જીવ આદિ છ તનું વિવેચન કરવામાં આવ્યું હવે આસવ-નિરોધરૂપ સંવર તત્વની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ-જેમના દ્વારા જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કન આસવ-આગમન થાય છે, જે કર્મોને પ્રવેશ માગે છે. એને નિરાધ થઈ જ અર્થાત એમની પ્રવૃત્તિ બંધ થઈ જવી એ સંવર છે તાત્પય એ છે કે આત્માના જે પરિણામથી કર્મોન ઉપાદાન (ગ્રહણ-આગમન) ને અભાવ થાય છે તે આત્મપરિણમનને સંવર કહે છે. પૂર્વોકત સંવર બે પ્રકારના છે-દેશસંવર અને સર્વસંવર, દેશસંવર સામ્યગ્દષ્ટિ જીવને તથા અણુવ્રતધારી શ્રાવકને હોય છે. સર્વ સંવર પંચમહ વ્રતધારી મુનિરાજને હાય છે તે પણ સંવર બે પ્રકારના હોય છે– દ્રવ્યસંવર અને ભાવસંવર દ્રવ્ય સંવર તે હેય છે જે નૌકા આદિમાં આવતા પાને ફેકવાને માટે તેના છિદ્રને ચિકણી માટી આદિ દ્વારા રોકવામાં આવે છે અને આત્મામાં પ્રવેશ કરતાં કર્મોને સમ્યકત્વ આદિથી રોકવા તે ભાવ સંવર છે. આ ભાવસંવર સમ્યક્ત્વાદિ ભેદોથી વીસ પ્રકારને, આઠ સમિતિ ગુપ્તિ આદિના ભેદથી સત્તાવન પ્રકારનો, એવી રીતે બધાં મળીને ભાવ સંવરના સિતેર ભેદ થઈ જાય છે. આ ભેદ આ પ્રમાણે છે-(૧) વ્રત. પ્રત્યાખ્યાન (૨) પ્રમાદને અભાવ (૩) કષાને અભાવ (૪) યોગનિરોધ (૫) પ્રાણાતિપાત આદિ પાંચે તેથી વિરમવું (૧૦) શ્રોત્ર આદિ પાંચ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy