SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ શુક્લધ્યાન કે ચાર ભેદોં કા નિરૂપણ સુરક્ષાને દિવસે ઇત્યાદિ સૂત્રાર્થ–શુકલધ્યાન ચ ર પ્રકારના છે-(૧) પૃથકત્વવિતર્કસવિચાર (૨) એકત્વવિતર્ક-અવિચાર (૩) સૂફમક્રિયાનિવત્તિ અને (૪) સમુછિન્નક્રિયાપ્રતિયાત છે ૭૪ in તત્ત્વાર્થદીપિકા–પહેલા આજ્ઞાવિચય આદિના ભેદથી ચાર પ્રકારના ધર્મ ધ્યાન કહેવામાં આવ્યા છે, હવે શુકલધ્યાનના ચાર ભેદની પ્રરૂપણ કરીએ છીએ શુકલ શબ્દને અર્થ આ પ્રમાણે થાય છે- “શું” અર્થાત્ શચ–શક. કલ” અર્થાત દૂર કરનાર તાત્પર્ય એ છે કે જેનાથી જન્મ મરણનું કામ દર થઈ જાય તેને શુકલ કહે છે. આવું પાન શુકલધ્યાન કહેવાય છે. કહ્યું પણ છે જેની ઈન્દ્રિયે વિષયોથી વિમુખ થઈ ચુકી છે, જેનામાંથી સંક૯પ વિકલ્પ વિકાર અને દોષ નિવૃત થઈ ગયા છે અને જેનાંમાં અતરાત્મા’ ત્રણે ગોથી નિવૃત્ત થઈ જાય છે તેને શુકલધ્યાન કહે છે. આ બધાં ધ્યાનમાં ઉત્તમ અને શ્રેષ્ઠ છે. ” શુકલધ્યાન ચાર પ્રકારના છે-(૧) પૃથકત્વ વિતર્ક સવિચાર (૨) એકવ વિતર્ક અવિચાર (૩) સૂફમક્રિયાનિવર્તિ અને (૪) સમુછિન ક્રિયા અપ્રતિપાતિ એમનું સ્વરૂપ આ પ્રમાણે છે-(૧) પૂર્વગત શ્રુત અનુસાર દયેય વસ્તુના જુદા જુદા પર્યાનું દ્રશાર્થિક અને પર્યાયાર્થિક આદિ અનેક નથી, અર્થ વ્યંજન (શબ્દ) અને વૈગના સંક્રમણની સાથે ચિન્તન કરવું પૃથફવિત સવિચાર ધ્યાન કહેવાય છે. આ સ્થાનમાં પૂર્વગત શબ્દ અથવા તેના અર્થ કય હોય છે પરંતુ ધ્યાતામાં એટલું સામર્થ્ય ન હોવાના કારણે તે કાઈ એક દ્રવ્ય, તેના ગુણ અથવા પર્યાનું ચિતન કરવા લાગે છે. આ પરિવર્તન ને પૃથપૂર્વ કહે છે આથી એક અર્થોથી અર્થાતર એક શબ્દથી શબ્દાન્તરે અને યોગથી ગતરમાં પ્રવેશ કરીને ચિતન કરવામાં આવે છે આને વિચાર કહે છે કહ્યું પણ છે– એક દ્રવ્યને છોડીને બીજા દ્રવ્યનું અવલમ્બન કરવું, એક ગુણથી બીજા ગુણ પર ચાલ્યા જવું અને એક પર્યાયનુ ચિંતન કરતા કરતા બીજા પર્યાયનું ચિન્તન કરવા લાગવું પૃથકૃત્વ કહેવાય છે. ૧. જે ધ્યાન એક અર્થથી બીજા અર્થમાં, એક શબ્દને છેડી બીજા શબ્દમાં તથા એક વેગથી બીજા વેગમાં લાગી જાય છે તે સવિચાર ધ્યાન કહેવાય છે. ૨ આ રીતે પૃથફત્વ હેતુક, વિચાર યુક્ત અને વિતકરૂપ જે ધ્યાન છે તે પૃથક્વવિતર્ક સવિચાર ધ્યાન કહેવાય છે. આ ધ્યાન અપૂર્વ કરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસામ્પરાય અને ઉપશાન્તકષાય નામક ચાર ગુણ થામાં હોય છે. શ્રી તત્વાર્થ સૂત્ર ૨
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy