SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાષાથી રહિત નિવેદન કરવું આલેાચન કહેવાય છે અર્થાત્ એકાન્તમાં બેઠેલા, પ્રસન્નચિત્ત, દેશ-કાળ અને દોષના સ્વરૂપના જ્ઞાતા ગુરૂતી સન્મુખ, વિનયપૂર્ણાંક વચનાભાવથી રહિત થઈ ને, બાળકની માફક સરળ બુદ્ધિથી શિષ્યનું પેાતાના અપરાધાનું નિવેદન કરવું આલેચન નામક પ્રાયશ્ચિત સમજવુ’. (૨) પ્રતિક્રમણ-‘મિચ્છામિ દુક્રä' એમ વદીને પ્રતિક્રિયા પ્રકટ કરવી. ગુરૂની અનુમતિથી શિષ્ય જ પ્રતિક્રમણ કરે. (૩) તદુભય–કાઇ અતિચારની શુદ્ધિ માટે એ બંનેનુ' અનુષ્ઠાન કરવું તદ્રુભય પ્રાયશ્ચિત છે. શુદ્ધ હૈાવા છતાં પણ અશુદ્ધ હાવાની શકા અથવા ભ્રમ થાય અથવા અશુદ્ધ પણુ શુદ્ધ રૂપથી નક્કી થઇ જાય, ત્યારે માલેાચન-પ્રતિક્રમણ એમ અને કરવામાં આવે છે. આલેચન અને પ્રતિક્રમણ તાત્પર્ય એ છે કે જ્યાં (૪) વિવેક-દોષયુક્ત અન્ન, પાણી, ઉપકરણ આદિના ત્યાગ કરવા વિવેક નામક પ્રાયશ્ચિત્ત છે. જે વસ્તુના ત્યાગ કરી દીધેા હોય તે પેાતાના પાત્રમાં પડી જાય અથવા મેઢામાં આવી જાય અથવા જે વસ્તુનુ ગ્રહણ કરવાથી લાલ આદિ કષાયાની ઉત્પત્તિ થાય છે તે વસ્તુને ઉ સ્રગ-ત્યાગ કરી દેવા વિવેક નામક પ્રાયશ્ચિત્ત છે. (૫) વ્યુત્સગ –નિયમિત સમય સુધી કાયા, વચન અને મનને ત્યાગ કરવા કાર્યોત્સર્ગ અથવા વ્યુત્સગ પ્રાયશ્ચિત્ત છે. (૬) તપ-અનશન, અવમી, ભિક્ષાચર્યા રસપરિત્યાગ, વિવિક્ત શય્યાસત અને કાયકલેશ રૂપ છ પ્રકારના તપ કરવા તપ નામક પ્રાયશ્ચિત્ત છે. (૭) છેદ-દિવસ, પક્ષ, માસ આદિની દીક્ષાનું છેદન કરવું' અર્થાત્ તેને ઓછા કરી નાખવા છેદ નામક પ્રાયશ્ચિત્ત છે, (૮) મૂળ-નવેસરથી મહાવ્રતનું' આર પણ કરવું મૂળ નામક પ્રાયશ્ચિત્ત છે. (૯) અનવસ્થાપ્ય-જેનું સેવન કરવાથી થેાડા સમય સુધી તેમાં અનવસ્થાપ્ય કરીને પાછળથી જેનુ આચરણ કરવાથી દોષની નિવૃત્તિ થવાથી વ્રતામાં સ્થાપિત કરવામાં આવે તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત કહેવાય છે. (૧૦) પારાંચિક−જે પ્રાયશ્ચિત્તમાં લિંગ (વેશ), ક્ષેત્ર, કાળ અને તપથી પારચિક અર્થાત્ બહાર કરી નાખવામાં આવે છે તે પારાંચિક નામક પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ૫૬૩ તત્ત્વાથ નિયુ*ક્તિ—પહેલા ખાદ્ય અને આભ્યન્તર ભેદથી તપના બે ભેદ કહેવામાં આવ્યા છે તેમાંથી આભ્યન્તર તપના છ ભેદમાં પહેલાં પ્રાયશ્ચિત્ત બતાવવામાં આવેલ છે. તેના દશ ભેદોની પ્રરૂપણા કરીએ છીએ – પ્રાયશ્ચિત્ત અર્થાત્ ચારિત્ર સબંધી લાગેલા દોષની શુદ્ધિ માટે કરવામાં શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૭૩
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy