SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ આમાંથી પ્રારંભની પાંચ ભાવનાઓ પ્રાણુતિપાત વિરમણ વતની બીજી પાંચ અસત્યવિરતિની ત્રીજી પાંચ સ્ટેયવિરતિની, ચારથી પાંચ બ્રહ્મચર્ય વ્રતની અને પાંચમી પાંચ ભાવનાઓ પરિગ્રહ વિરતિની છે. આ ભાવનાઓને અર્થ આ પ્રમાણે છે. ચાલવામાં જતના રાખવી ઈસમિતિ છે. અર્થાત્ ચાર હાથ આગળની જમીનનું બારીકાઈથી નિરીક્ષણ કરીને સ્થાવર તેમજ ત્રસ જીવેની રક્ષા કરતા થકા અપ્રમત્ત ભાવથી ગમન કરવું એ પ્રથમ ભાવના છે. મને ગુપ્તિને અર્થ છે. આનંદયાન તથા રૌદ્ર ધ્યાનથી અળગા રહીને ધર્મધ્યાનમાં લીન થવું, વચનને પવું અર્થાત્ મૌનવ્રત ધારણ કરવું વચનગુપિત છે. એષણાના ત્રણ ભેદ છે-મેષણ, ગ્રહષણ અને ગ્રામૈષણા જેએ એષણ સમિતિથી રહિત હોય છે તે છએ કાયોને વિરાધક હોય છે આથી જેની રક્ષા માટે એષણાસમિતિનું પાલન કરવું જોઈએ, ઔઘિક અને ઔપગ્રાહિકના ભેદથી બંને પ્રકારની ઉપાધિને ઉપાડવા તથા મૂકવામાં આગમ અનુસાર પ્રમાર્જન તથા પડિલેહણુનું ધ્યાન રાખવું આદાનનિક્ષેપણું સમિતિ છે. પાત્રમાં પડેલા અથવા રાખેલા આહારને ચક્ષુ વગેરેનો ઉપયોગ લગાવીને, તેમાં ઉત્પન થયેલા અથવા બહારથી આવેલા છની રક્ષા માટે અવેલેકન કરવું જોઈએ. ઉપાશ્રયમાં આવીને ફરી એકવાર પ્રકાશવાળી જગ્યાએ બેસીને આહાર-પાણીને સારી પેઠે જઈ તપાસીને અજવાળું હોય એવી જગ્યાએ જ તેને ઉપભેગ કરે જોઈએ. આ છે આલેક્તિ પાન ભજન ભાવના આ પાંચ ભાવનાઓથી સંપન્ન સાધુ સંપૂર્ણતયા પ્રાણાતિપાત વિર. મણવ્રતનું પાલન કરવામાં સમર્થ થાય છે. મૃષાવાદ વિરમણવ્રતની દઢતા કાજે આ પાંચ ભાવનાઓનું સેવન કરવું આઈએ-“અનુવચિભાષણ” અહીં “અનુવીચિશબ્દ દેશીય છે અને તેને અર્થ થાય છે વિચાર કરે તાત્પર્ય એ થયું કે સમઝી વીચારીને બેલવું “અનવીચિભાષ' કહેવાય છે. વગર વિચાર્યું બેલનાર કવચિત મિયાભાષણ પણ કરતો હોય છે. આથી આમાની લઘુતા વેર અને પીડા વગેરે આલોક સંબંધી કોની પ્રાપ્તિ થાય છે અને બીજાને પ્રાણેની હિંસા થાય છે. આથી જે સમઝી -વિચારીને બેલે છે તે કયારેય પણ મિથ્યાભાષણના પાપથી ખરડાતું નથી. શાહનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થનારા દેષરૂપ તેમજ અપ્રીતિ લક્ષણ વાળા ફોધનો ત્યાગ કરે જોઈએ, ક્રોધ પ્રત્યાખ્યાનથી આત્માની નિરન્તર ભાવના કરવી જોઈએ જે આવી ભાવના ભાવે છે તે અસત્ય આદિથી બચી જાય છે. તૃષ્ણારૂપી લેભને પણ પરિત્યાગ કરવો જોઈએ. જે લાભ પ્રત્યાખ્યાનથી આત્માને ભાવિત કરે છે તે મિાભાષી હેતે નથી આવી જ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૪૯
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy