SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય છે. જે પ્રતિલેખિત ન હોય અર્થાત્ જોવામાં ન આવ્યું હોય તે અપ્રતિલેખિત છે. સુંવાળી પૂંજણ આદિ ઉપકરણ દ્વારા કરવામાં આવનાર સંશોધન આદિ પ્રમાજિત કહેવાય છે. પ્રમાજિંતને અભાવ અપ્રમાજિત છે. આ પાંચ પૂર્વોક્ત ત્રીજા શિક્ષાત્રત પૌષધપવાસ વ્રતના અતિચાર છે. આ કારણે વ્રતનું અનુષ્ઠાન કરનાર શ્રાવકે અતિચારોથી બચતા થકા પૌષધોપવાસ વ્રતનું સમ્યક્ પ્રકારે પાલન કરવું જોઈએ. પ૧ તત્વાર્થનિયુક્તિ પહેલા દ્વિતીય શિક્ષાત્રત દેશાવકાશિકના આનયનપ્રયોગ આદિ પાંચ અતિચારેની પ્રરૂપણ કરવામાં આવી છે. હવે પૌષધો. પવાસ નામક ત્રીજા શિક્ષાવ્રતના અતિચારોનું કથન કરીએ છીએ પૌષધપવાસના પાંચ અતિચાર છે-(૧) અપ્રતિલેખિત દુપ્રતિલેખિત શય્યા. સંસ્તારક (૨) અપ્રમાજિંત-દુષ્પમાર્જિત શય્યાસંસ્તારક (૩) અપ્રતિલેખિતદુષ્પતિલેખિત-ઉચ્ચારપ્રસવણભૂમિ (૪) અપ્રમાજિત-પ્રમાર્જિત-ઉચ્ચાર પ્રવિણભૂમિ અને (૫) પૌષધવ્રતનું સમ્યક્ અનનુપાલન. (1) શયા અને સંથારાનું સર્વથા જ પ્રતિલેખન ન કરવું અથવા અસાવધાનીથી પ્રતિલેખન કરવું પ્રથમ અતિચાર છે. (૨) શય્યા અને સંસ્તારકનું બિલકુલ પ્રમાર્જન ન કરવું અથવા અન્યમનસ્કભાવથી પ્રમાર્જન કરવું બીજે અતિચાર છે. (૩-૪) આવી જ રીતે ઉચ્ચારભૂમિ અને પ્રસવણભૂમિનું પ્રતિલેખન અને પ્રમાજને ન કરવું અથવા સમ્યફ પ્રકારથી પ્રતિલેખન પ્રમાર્જન ન કરવું ત્રીજા અને ચેથી અતિચાર છે. (૫) આગમેક્ત વિધિના અનુસાર પૌષધવ્રતનું સમ્યકપ્રકારથી પાલન ન કરવું, એ પૌષધવ્રતને પાંચ અતિચાર છે. ધ્યા અને સંથારામાં ત્રસ અથવા સ્થાવર જીવ તે નથી એ જઈ લેવું પ્રતિખત કહેવાય છે. રજોહરણ વગેરેની મદદથી પૂજવું પ્રમાર્જન કહેવાય છે. પૌષધાપવાસ વ્રતના ધારક શ્રાવકે અપ્રતિલેખિત- દુષ્પતિલેખિત શપ્યાસંસ્તારક આદિ પાંચ અતિચારેથી બચતા થકા પૌષધોપવાસતને પાલન કરવું જોઈએ. ઉપાસકદશાંગસૂત્રના પ્રથમ અધ્યયનમાં કહ્યું છેશષપવાસ વ્રતના શ્રમણોપાસકે પાંચ અતિચાર જાણવા જોઈએ પરંતુ તેમનું આચરણ કરવું જોઇએ નહીં આ અતિચાર છે. (૧) અપ્રતિલેખિત પ્રતિખિત શપ્પા સંસ્કાર (૨) અપ્રમાજિત-દુ પ્રમાર્જિત શપ્પા સંસ્કાર (૩) અપતિલેખિત-દુખતિલેખિત ઉચ્ચારપ્રસવણભૂમિ અને (૫) પૌષધપવાસનું સમ્ય-અનનુપાલન, પ૧ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૪૦
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy