SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ સંજોગવશાત તેના અધિકારીને નિવેદન કરીને પોતાના મર્યાદિત ક્ષેત્રમાં લાવવા, ભગાવવા આનયનપ્રયાગ કહેવાય છે. (૨) વ્રતમાં જેટલા દેશની મર્યાદા કરી હોય તેનાથી બહારના પ્રદેશમાં કોઈ કાર્યની સિદ્ધિ માટે નેકરને મેકલ અને તેને કહેવું–‘તું જા અને આ પ્રમાણે કર આ પ્રેષણપ્રાગ કહેવાય છે.” (૩) એવી રીતે શબ્દનું ઉચ્ચારણ કરવું કે જેથી બીજાને સંભળાય તે શદાનપાત કહેવાય છે. છીંક ખાઈને અથવા ઉધરસ ખાઈને અથવા લેકમાં પ્રસિદ્ધ ટેલીફોન અથવા ટેલીગ્રાફ આદિ-યંત્ર દ્વારા પાડેશી વગેરેને સમજાવીને કાર્ય સમ્પાદન કરવા માટેની ચેષ્ટા કરવી શબ્દાનુપાત અતિચાર છે. (૪) શબ્દનું ઉચ્ચારણ કર્યા વગર જ, પ્રજનવશાત્ પિતાનો હાથ વગેરે બતાવો કે જેથી મર્યાદિત ક્ષેત્રથી બહારના લેકે તેની નજીકમાં આવી જાય, આ રૂપાનુપાત અતિચાર છે. (૫) માટીનું ઢેકું, ઇટ, લાકડાને કકડો આદિ પુદ્ગલેને મર્યાદિત ક્ષેત્રથી બહાર ફેંકવા બહિપુદ્ગલ પ્રક્ષેપ કહેવાય છે. કેઈએ અમુક દેશ સુધી જ જવાની મર્યાદા કરી હોય પરંતુ તેની બહારનું કામ આવી પડે ત્યારે તે જાતે બહાર જવામાં તને ભંગ થશે એમ સમજીને બીજાને સમજાવવાસાવચેત કરવા માટે પથ્થર આદિ ફેકે છે અને પથ્થર વગેરે ફેંકવાથી કે તેની પાસે આવી જાય છે. આ પુદ્ગલપ્રક્ષેપ અતિચાર છે. આ આનયન આદિ પાંચ બીજા શિક્ષાવત, દેશાવકાશિક વ્રતના અતિચાર છે. આપણે તત્વાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં પ્રથમ શિક્ષાવ્રત સામાયિકના મને દુષ્પ ણિયાન આદિ પાંચ અતિચારોનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે. હવે કમપ્રાપ્ત દ્વિતીય શિક્ષા વ્રત, જે બાર વ્રતમાં દશ મું છે અને જેનું નામ દેશાવક શિક છે તેના આનયનપ્રવેગ આદિ પાંચ અતિચારોની પ્રરૂપણ કરીએ છીએ દેશાવકાશિક વ્રતના પાંચ અતિચાર છે-(૧) આનયનપ્રાગ (૨) પ્રેષણપ્રયાગ (૩) શબ્દાનુપાત (૪) રૂપાનુપાત અને (૫! પુદ્ગલ પ્રક્ષેપ આ પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન્ન કરનારા હોવાથી એક પ્રકારના દુષ્પરિણમન છે. દિશાબતમાં બાંધેલી મર્યાદાને સીચિત સમય માટે પણ ઓછી કરવી એ જ દેશાવકાશિક વ્રત છે. દેશાવકાશિક વ્રતમાં દેશની જે મર્યાદા નક્કી કરવામાં આવી હોય તેનાથી બહારની વસ્તુ મંગાવવા માટે “તમે આ લઈ આ એ જાતને સંદેશ વગેરે આપીને બીજાને વસ્તુ લાવવાની પ્રેરણા કરવી આનયન પ્રવેગ કહેવાય છે. કોઈને પરાણે મકલ પ્રેષણપ્રાગ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy