SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ તિક્રમ આ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન્ન કરવાવાળા દુષ્પરિણામ છે. એમનું સ્વરૂપ આ પ્રકારે છે-(૧) ક્ષેત્ર અર્થાત્ ખેતર જ્યાં ધાન્યની ઉપજ થાય છે, વસ્તુ અર્થાત્ નિવાસ કરવાનુ` મકાન આશય એ છે કે ઉઘાડી જમીન ખેતર કહેવાય છે અને મધેલી જમીનને વસ્તુ કહે છે. (૨) ચાંદી વગેરે ધાતુએ, જેનાથી લેવડ-દેવડના વ્યવહાર થાય છે, હિરણ્ય કહેવાય છે અને સુવર્ણના અથ કંચન છે, જેને સોનુ` કહે છે. (૩) ગાય, ભેંસ, હાથી, ઘેાડા વગેરે ધન કહેવાય છે અને ડાંગર ત્રીહિ અર્થાત્ ચાખા વગેરેને ધાન્ય કહે છે. (૪) દાસી, દાસ વગેરેને દ્વિપદ તથા ગાય ભેંસ આદિને-ચતુષ્પદ કહે છે. (૫) ત્રાંબુ, લેતું, કાંસુ વગેરે કુખ્ય કહેવાય છે. આ ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્ય, સુવણુ ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ અને કુષ્યના પ્રમાણુના અત્યન્ત લાભને વશીભૂત થઈ ને ઉલ્લંઘન કરવું પાંચમા વ્રતના અતિચાર છે. ‘હું આટલેા જ પરિગ્રહ રાખીશ, આથી વિશેષ નહી,' આવી રીતે મર્યાદિત ક્ષેત્ર, વાસ્તુ, ધન, ધાન્ય આદિ સંબંધી પ્રમાણુથી વધારે ગ્રહણ કરવુ પાંચમાં અણુવ્રતધારી શ્રાવક દ્વારા ત્યાગ કરવામાં આવે છે આથી તે નિયત પ્રમાણથી અધિક ક્ષેત્ર-વાસ્તુ આદિનું ગ્રહણ કરવું અતિચાર છે આ કારણે સ્થૂળપરિગ્રહ વિરમણુ નામક પાંચમા અણુવ્રતના ધારક શ્રાવકે પ્રમાણથી વધારે ક્ષેત્ર, વાસ્તુ. ધન, ધાન્ય, હિરણ્ય અને સુવર્ણ ના પરિત્યાગ કરતા થકા પાંચમા અણુવ્રતનું સમ્યક્ પ્રકારે પાલન કરે. આમાં ત્રીદ્ધિ આદિ ધાન્ય અઢાર પ્રકારના હાય છે. કહ્યું પણ છે— (૧) ગાધૂમ (ઘઉં), (૨) શાલિ (ચેાખા) (૩) યવ (જવ) (૪) સÖવ (સરસવ) (પ) માષ (અડદ) (૬) મુદ્દ્ગ (મગ) (૭) શ્યામાક (સામેા (૮) *ગુ (૯) તિલ (તલ) (૧૦) કાદ્રવ (કાદરા) (૧૧) રાજમાષ (૧૨) કીનાશ, (૧૩) નાલ (૧૪) મઠ (૧૫) વૈણુવ (૧૬) આઢકી (૧૭) સિમ્બા (૧૮) કળથી (ચા) વગેરે એ અઢાર ધાન્ય છે. ૫૧! આમાંથી કીનાશના અથ થાય છે લાંગલ ત્રિપુટ, નાલ મકુને કહે છે, મઠ વૈણુવ છારિને કહે છે અને માઢકીને અથ તુવેર છે. ‘તુવર, ચણા, અડદ, મગ, ઘઉં, ચાખા અને જવ અને બુદ્ધિમાન લેાકેા સમધાન્ય કહે છે. તલ, શાલિ અને જવને ત્રિધાન્ય કહે છે, ૫૪૫૫ તત્ત્વાથ નિયુક્તિ—આની પહેલા ચેાથા સ્થૂળમૈથુન વિરતિ નામક ચેાથા અણુવ્રતના ઇરિકાપરિગૃહીતાગમન આદિ પાંચ અતિચાર કહેવામાં આવ્યા છે. હવે ક્રમપ્રાપ્ત સ્થૂળપરિગ્રહ પરિમાણુનામક પાંચમાં અણુવ્રતના જેને ઈચ્છા પરિમાણુ પણ કહે છે. પાંચ અતિચારાનુ પ્રરૂપણ કરીએ છીએ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૨૫
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy