SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ આ કેવળજ્ઞાન એ પ્રકારનું છે—(૧) ભવસ્થ-કેવળજ્ઞાન અને (૨) સિદ્ધ કેવળજ્ઞાન. સમેદસ્યભવસ્થ કેવલજ્ઞાનસ્ય વર્ણનમ્ “ તે જિત'. મવથવજીના ઈત્યાદિ. શિષ્ય પૂછે છે—હે ભદન્ત ! ભવસ્થ−કેવળજ્ઞાનનું શું સ્વરૂપ છે ? ઉત્તર-ભવસ્થ-કેવળજ્ઞાન એ પ્રકારનુ ખતાવેલ છે. તે આ પ્રમાણે છે. (૧) સર્ચાગિ—ભવસ્થ-કેવળજ્ઞાન અને (ર) અયાગિ –ભવસ્થ—કેવળજ્ઞાન. અહી મનુષ્યજન્મનું નામ ભવ છે. આ ભવમાં રહેનારનુ' જે કેવળજ્ઞાન છે તે ભવસ્થકેવળજ્ઞાન કહેવાય છે. તે ભવસ્થ કેવળજ્ઞાન એ પ્રકારનું છે–સયાગિ-ભવસ્થધ્રુવળજ્ઞાન અને બીજી અયોગિ-ભવસ્થ-કેળજ્ઞાન, 69 “તેજિત સોનિ-મવત્ય-વહનાળ ” ઈત્યાદિ. પ્રશ્ન—સયાગિ–ભવસ્થ-કેવળજ્ઞાનનું શું સ્વરૂપ છે? શ્રી નન્દી સૂત્ર ઉત્તર——મન, વચન અને કાયાની ક્રિયાનું નામ યાગ છે, આ યોગ જેને થાય છે તે સચેાગી કહેવાય છે. સયાગી થઈને જે ભવસ્થ હોય છે તે સચાગિ ભવસ્થ છે. તેનું જે કેવળજ્ઞાન હોય છે તેને સર્યાગિ ભવસ્થ કેવળજ્ઞાન કહે છે. તે એ પ્રકારનુ ખતાવ્યું છે—(૧) પ્રથમસમય-સોગિ-ભવસ્થ-કેવળજ્ઞાન અને (૨) અપ્રથમસમય સચાગિ—ભવસ્થ—કેવળજ્ઞાન. જે સયાગી ભવસ્થ આત્માને કેવળજ્ઞાન ઉત્પન્ન થવામાં એક સમય લાગ્યો હોય તેનું કેવળજ્ઞાન પ્રથમસમય–સયાગિ-ભવસ્થ-કેવળજ્ઞાન છે. તથા જે કેવળજ્ઞાન ઉત્પન્ન થવામાં એ વગેરે સમય લાગ્યા હોય તે અપ્રથમસમય–સયાગિ—ભવસ્થ- કેવળજ્ઞાન છે. અથવા કેવળજ્ઞાનના આ પ્રમાણે પણ એ ભેદ્ઘ પડે છે-ચરમસમય–સચે ગિ–ભવસ્થકેવળજ્ઞાન અને અચરમસમય–સયે ગિ-ભવસ્થ-કેવળજ્ઞાન. સયાગી અવસ્થાના અંત્ય સમયનું જે કેવળજ્ઞાન છે તે ચરમસમય-સચેાગ-ભવસ્થ-કેવળજ્ઞાન છે. તેથી ઉલટુ' એટલે કે પશ્ચાતુપૂર્વીની અપેક્ષાએ સયાગી અવસ્થાના ચરમ સમયથી લઈ ને કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી જેટલા સમયેા થઈ ગયા હૈાય તે ખધા અચરમ સમયેા છે. તે સમયેનું કેવળજ્ઞાન અચરમસમય–સયેાગિ—ભવસ્થ−કેવળજ્ઞાન કહેવાય છે. ૯૨
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy