SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે મન:પર્યં યજ્ઞાન ફક્ત તેના અનંતમાં ભાગને જ વિષય કરે છે, એટલે કે માત્ર મનાદ્રવ્યને જ જાણે છે. (૩) ક્ષેત્રની અપેક્ષાએ અવધિજ્ઞાનના વિષય અંગુલના અસ`ખ્યાતમાં ભાગથી લઈને સ’પૂર્ણ લેાક છે. તથા કેટલાક લેાકપ્રમાણ ક્ષેત્રની અપેક્ષાએ સામવશ અલેાકને પણ જાણી શકે છે. જો અલાકમાં રૂપી દ્રવ્ય હાય તા તે તેને પણ ગ્રહણ કરવાની શક્તિ ધરાવે છે. મન:પર્યય જ્ઞાનનું વિષયક્ષેત્ર તિગ્લાકની અપેક્ષાએ અઢી દ્વીપ સુધી જ છે. (૪) કાળની અપેક્ષાએ અવધિજ્ઞાન ભૂત, ભવિષ્ય અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળને જાણે છે. મન:પર્યય જ્ઞાન કાળની અપેક્ષાએ ભૂત, ભવિષ્ય પક્ષ્ચાપમના અસંખ્યાતમાં ભાગને વિષય કરે છે. (૫) ભાવની અપેક્ષાએ સમસ્ત રૂપી દ્રબ્યામાંથી પ્રત્યેક રૂપી દ્રવ્યની અસખ્યાત પર્યાયાને વિષય કરે છે, તથા મન:પયજ્ઞાન મનેદ્રવ્યની અનંત પર્યોચાને વિષય કરે છે. (૬) અધિજ્ઞાન ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એ અને રૂપ હોય છે, પણ મનઃપયજ્ઞાન ફક્ત ગુણપ્રત્યય રૂપ જ હોય છે. આ નિમિત્તોથી અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાન વચ્ચે તફાવત છે. તેને સૂત્રકાર આ ગાથામાં સ ંક્ષિપ્ત રૂપે કહે છે-“ નવમળ” ઈત્યાદિ. મનુષ્યેાનાં મનદ્વારા ચિંતિત અને પ્રકાશિત કરનાર, તથા મનુષ્યક્ષેત્રમાં જ રહેલ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપક જીવેાનાં મનેાદ્રયૈને વિષય કરનાર-તેની મહારના પ્રાણીએના મને દ્રબ્યાને વિષય નહીં કરનારૂં એવું આ મન:પર્યં યજ્ઞાન આમશૌ ષધ્યાલિબ્ધિપ્રાપ્ત અપ્રમત્ત સંયંત સમ્યગ્દૃષ્ટિ જીવને થાય છે. અને તે ક્ષાન્ત્યાદિનુણુકારણવાળુ હાય છે. આ પ્રમાણે અહીં સુધી આ મન:પર્યં યજ્ઞાનનું વર્ણન થયું. ।। સૂ ૧૮ । હવે સૂત્રકાર કેવળજ્ઞાનનું પ્રકરણ શરૂ કરે છે—“ સે જિં તુ વનાળ` ” ઈત્યાદિ. કેવલજ્ઞાન વર્ણનમ્ મનઃપયજ્ઞાનનું સ્વરૂપ સાંભળી લીધા પછી હવે શિષ્ય કેવળજ્ઞાનનુ સ્વરૂપ પૂછે છે–ડે ભદન્ત! પૂર્વનિર્દિષ્ટ કેવળજ્ઞાનનુ કેવુ... સ્વરૂપ છે? ઉત્તર—-કેવળજ્ઞાન એ પ્રકારનું પ્રરૂપિત કરેલ છે. તે એ પ્રકાર આ પ્રમાણે છે– (૧) ભવસ્થ−કેવળજ્ઞાન અને(૨)સિદ્ધ-કેવળજ્ઞાન, કેવળ એટલે કે (૧) પરિપૂર્ણ, (૨) સમગ્ર, (૩) અસાધારણ, (૪) નિરપેક્ષ, (૫) વિશુદ્ધ, (૬) સČભાવપ્રજ્ઞાપક, (૭) સ`પૂર્ણ લેાકાલેાકવિષયક, (૮) અન ંતપર્યાય, આ બધાં “ કેવળ ” ના અર્થા છે. આવુ જે જ્ઞાન હૈાય તે કેવળજ્ઞાન છે. શ્રી નન્દી સૂત્ર ૯૦
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy