SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ આપું અને અમારિઘાષણા દ્વારા જીવાને અભયદાન આપુ. નંદાના પિતા એ પેાતાની પુત્રીના આ દોહદને જાણીને તે પૂરા કરવા માટે વૈજ્ઞાતટ નગરના રાજાની આજ્ઞા લઇને દાન પુન્ય સહિત અમારિઘાષણા દ્વારા જીવને અભયદાન દઈને પેાતાની પુત્રીના દોહદ પૂરો કર્યાં. નંદાના ગર્ભના સમય ધીમે ધીમે વ્યતીત થવા લાગ્યા. કાલક્રમે નવ માસ અને સાડાસાત રાત્રિ પસાર થતાં તેણે દસે દિશાઓને પ્રકાશિત કરનાર પ્રાતઃકાળના સૂર્યમંડળ જેવાં, પાતાના તેજથી દિશાઓને પ્રકાશિત કરતા એક મહાતેજસ્વી પુત્રના જન્મ આપ્યા. ખાર દિવસ પછી ધન્યશેઠે અભયદાનના દેહદ અનુસાર તે નવાગત બાળકનું નામ અભયકુમાર રાખ્યુ. નંદનવનમાં જેમ કલ્પવૃક્ષ વધે છે તેમ અભયકુમાર પણ પેાતાના દાદાને ત્યાં સુખપૂર્ણાંક માટે થવા લાગ્યા, જેમ જેમ તે મેટા થતા ગયા તેમ તેમ તે અનેક પ્રકારની કળા પણ શીખતે ગયા. આ રીતે ખીર ધીરે તે સઘળી કળાઓમાં પાર ગત થયા. k એક દિવસ અભયકુમારે તેની માતાને પૂછ્યું. “ માતાજી ! એ તે બતાવા કે મારા પિતાજી કેણુ છે અને કયાં રહે છે ? ” પુત્રની આ વાતથી પ્રભાવિત થઈને તેની માતા નન્દાએ આદિથી અન્ત સુધીનું તેના પિતાનું વૃત્તાંત તેને સંભળાવ્યુ, અને દિવાલ પર લખેલ તેમનુ ઠેકાણું પણુ તેને ખતાંવ્યું. માતાના કહેવાથી તથા દિવાલ પર લખેલ પરિચય જોઈને જ્યારે અભયકુમારને તેના પિતાને પરિચય મળ્યે ત્યારે તે તેની માને કહેવા લાગ્યા, માતા ! ચાલા, આપણે બન્ને રાજગૃહ નગરમાં જઈ એ.” ચાક્કસ નિણુય થતાં ધન્ય શ્રેષ્ઠીને પૂછીને તે બન્ને રાજગૃહ જવાને ઊપડાં, અને ચાલતાં ચાલતાં રાજગૃહની પાસે આવી ગયાં. અલયકુમાર મહાર બગીચામાં માતાને મૂકીને પાતે પિતાને મળવા માટે રાજગૃહ નગરમાં જવા લાગ્યા. ત્યાં તેણે વાકાનુ એક ટેચ્છુ જોયુ જે એક નિર્જળ કુવાને ચારે તરફથી ઘેરીને ઉભું હતું. અલયકુમાર તરત જ ત્યાં પહોંચ્યું, અને લેાકેાને પૂછવા લાગ્યા કે લેાકેાનુ ટાળુ અહીં શા માટે એકઠું' થયું છે? લેાકાએ જવાખ આપ્યા, ** આ કુવામાં રાજાની વીંટી પડી ગઈ છે. જે વ્યક્તિ ઉપર ઉભા ઉભા જ પેાતાના હાથે તેને બહાર કાઢશે, તેને રાજા મેટ્ ઈનમ આપશે. ’ લોકોની આ વાતની ખાતરી કરવા માટે અભયકુમારે ત્યાં ઉભેલા રાજપુરુષોને પૂછ્યું` તા તેમણે પણ એ જ પ્રમાણે કહ્યું, તે સાંભળીને અભયકુમારે રાજપુરુષાને કહ્યું, “જો રાજા પોતાની પ્રતિજ્ઞામાં દૃઢ હાય તા હું કૂવામાંથી રાજાની વીંટી બહાર ઉભા રહીને જ કાઢી શકું તેમ છું.” અભયકુમારની આ વાતથી પ્રસન્ન થઇને તેમણે કહ્યુ', “ ભદ્ર! આપ આપનુ કામ પૂરૂ કરી. રાજા પેાતાની પ્રતિજ્ઞાનું અવશ્ય પાલન કરશે.” આ વાતને સાંભળીને અભયકુમારે કુવામાં કઇ બાજુએ વીટી પડી છે તે ધ્યાનપૂર્વક જોયું, પછી તેણે કાઇ જગ્યાએથી છાણ લાવીને તેના શ્રી નન્દી સૂત્ર ૨૯૧
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy