SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતશિલા દૃષ્ટાન્તઃ છે. તેઓમાં “ભરતસિસ્ટ” આ પહેલું દષ્ટાંત આ પ્રમાણે છે ઉજજયિની નગરી પાસે નટલેકેનું એક ગામ હતું. તેમાં “ભરત” નામને નટ રહેતું હતું. તેની પત્ની મરી ગઈ હતી. તેનાથી તેને એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી, જેનું નામ રેહક હતું. પત્ની વિના ઘરનું કામ ચાલવું ઘણું મુશ્કેલ છે એમ માનીને તેણે પિતાને બીજે વિવાહ કર્યો. અપરમાત હોવાને કારણે રેહકની સાથે તેનું વર્તન બરાબર હતું નહીં. એક દિવસ અપરમતા ના દુર્વ્યવહારથી નાખુશ થઈને કે તેને કહ્યું-“હે માતા ! ધ્યાન રાખો, જે તમે મારી સાથે ચગ્ય વર્તન નહીં રાખે છે તેનું ફળ તમારે કોઈ દિવસે જરૂર ભોગવવું પડશે ” રેહકની આ વાત સાંભળીને અપરમાતાને ઘણે ક્રોધ થ. તે બોલી “અરે હક! તું મને શું કરી શકીશ?” રોહકે કહ્યું-“શું કરીશ? એવું કરીશ કે જેથી તું મારે પગે પડીશ.” ત્યાર બાદ એક દિવસે અપરમાતાના દ્રષથી પ્રેરાઈને રહકે અમસ્તું જ પિતાના પિતાને રાત્રે કહ્યું-“પિતાજી, જુવો -જુ, આપણા ઘરમાંથી નીકળીને કેઈ પુરૂષ દેડતો દેડતે બહાર જાય છે. ” રેહકના મઢે એવું સાંભળીને નટના મનમાં પિતાની પત્ની ચારિત્રભણ હેવાની શંકાએ સ્થાન જમાવ્યું. તે રીતે તે તેનામાં નેહરહિત બન્યા. પિતાના પતિની આ વૃત્તિથી તે અપરમાતાને ઘણું દુઃખ થયું. તેણે વિચાર્યું “આ બધી હકની જ કરામત છે. જુઓ, પહેલાં મારા પતિ મારા પ્રત્યે કેટલા બધા નેહાળ હતા! હવે તે તેઓ મારી સાથે પ્રેમથી બોલતા પણ નથી. હું જે મારી બાબતમાં વિચાર કરું છું તે મને મારે કઈ પણ દેષ દેખાતું નથી. તે વિના કારણે પતિની અપ્રીતિનું શું કારણ હોઈ શકે? એવું લાગે છે કે આ બધાનું મૂળ કારણ એક રેહક જ છે, તે સૌથી પહેલાં તેને જ પ્રસન્ન કરી લેવું જોઈએ, તેમાંજ મારૂં હિત છે.” આ પ્રકારની વિચારધારાથી પ્રેરાઈને શ્રી નન્દી સૂત્ર ૨૭૦
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy