SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ નુસાર એ બાવીસ સૂત્ર અછિનચ્છેદ નયિક છે. તેનું તાત્પર્ય એ છે કે તે આજુસૂત્રાદિક બાવીસ સૂત્ર પોત-પોતાના અર્થના બેધક થવાને માટે એક બીજાનાં પદની અપેક્ષા રાખે છે. જેમકે “ધો મં&િમુશિ” આ લેક છિન્નચ્છેદનયની અપેક્ષાએ પિતાના અર્થને બેધ સ્વતંત્રરૂપે કરે છે. પણ તે અચ્છિન્નચ્છેદ નયની અપેક્ષાએ આ શ્લેક પિતાના અર્થને બંધ કરાવવાને માટે દ્વિતીય શ્લોકમાં આવેલ પદેની અપેક્ષા રાખે છે, તથા દ્વિતીય સ્લોક પિતાના અર્થને બોધ કરાવવાને માટે પ્રથમ શ્લોકની અપેક્ષા રાખે છે, એવી માન્યતા આજીવક સિદ્ધાંતને માનનારાઓની છે. તથા આ જુસૂત્રાદિક બાવીસ સૂત્ર દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક, અને ઉભયાર્થિક, એ ત્રણ નાની અપેક્ષા વાળ છે, એવી માન્યતા બૈરાશિક મતવાળાઓની છે. તથા આ બાજુસૂત્રાદિક બાવીસ સૂત્ર ચતુષ્કનયવાળાં છે. એવી માન્યતા જિન સિદ્ધાંત-માનનારાઓની છે. સંગ્રહનય, વ્યવહારનય, ઋજુસૂત્રનય અને શબ્દાદિનય એ ચાર નય છે. જૈન સિદ્ધાત સૂત્રની પરમ્પરા પ્રમાણે તે બાવીસ સૂત્ર આ ચાર નવાળાં છે, એવી માન્યતા સ્વસામાયિક છે. આ રીતે એ બધી માન્યતાઓ પ્રમાણે સૂત્રના અઠયાસી (૮૮) પ્રકાર થાય છે. છિન્નછે. દુનય, અચ્છિન્ન છેદનય, ચતુષ્કનય અને વિનય એ ચારેમાં છિન છેદનય, અને ચતુનય એ બન્ને સ્વસિદ્ધાંત-જૈન સિદ્ધ ત સંમત છે, અછિન્નછેદનય, આવકસંમત છે, અને ત્રિનય વૈરાશિકસંમત છે. એ બધાં સૂત્ર છે, એટલે દષ્ટિવાદના બીજા “સૂત્ર” નામના ભેદનું સ્વરૂપ છે. (૨) પૂર્વગત ભેદવર્ણનમ્ હવે દષ્ટિવાદના ત્રીજા ભેદ. “પૂર્વગત” નું સ્વરૂપ વર્ણવે છે-“ fi તં પુ ?” ઈત્યાદિ. શિષ્ય પૂછે છે–દષ્ટિવાદને જે ત્રીજે ભેટ “પૂર્વગત છે તેનું શું સ્વરૂપ છે? ઉત્તરપૂર્વગત ચૌદ પ્રકારનું છે. તીર્થકર પ્રભુ તીર્થપ્રવર્તનને સમયે ગણધરને માટે સૌથી પહેલાં સકળ સૂત્રનું આધારભૂત હેવાથી પૂર્વગત સૂત્રાથની જ પ્રરૂપણ કરે છે, ત્યાર બાદ ગણધર ભગવાન સૌથી પહેલાં પૂર્વગત સૂત્ર જ રચે છે. ત્યાર પછી આચારાંગ આદિ “સવેલ માથા પો” એમ જ કહેવામાં આવે છે તે ક્રમન્યાસની અપેક્ષાએ જ કહેલ માનવું જોઈએ. અક્ષર રચનાની અપેક્ષાએ તે પૂર્વગત શ્રત જ સૌથી પહેલું છે. પછી બીજાં અંગ-આશા. રાંગ આદિ. પૂર્વગત કૃતના ચૌદ પ્રકાર છે-(૧) ઉત્પાદપૂર્વ, (૨) અગ્રાયણી શ્રી નન્દી સૂત્ર ૨૫૬
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy