SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રકારે પરસ્પરવિરુદ્ધ અનેક કેટીએનું અવલંબન કરનાર સંશયજ્ઞાન હોય છે, ત્યારે ઈહામાં “આ શંખને શબ્દ છે જેઈએ. અથવા શિંગડાને શબ્દ હવે જોઈએ” એ એક તરફના નિર્ણય તરફ ઝુકતે બેધ રહ્યા કરે છે. ” આ શંખને શબ્દ જોઈએ, કારણ કે તેમાં તેના જ માધુર્ય આદિ અમુક અમુક વિશેષગુણ મળે છે, શિંગડાને આ શબ્દ ન હોવું જોઈએ, કારણ કે તેને કર્કશતા, કઠોરતા આદિ અમુક અમુક વિશેષગુણ અહીં પ્રાપ્ત થતા નથી.” આ રીતે ઈહાજ્ઞાનમાં વિશેષાર્થના નિર્ણયનીતરફ અને અસદ્ભતવિશેષ અર્થના પરિત્યાગ તરફ ઝુકેલ બેધને ઉદય રહે છે. સંશયમાં એવું થતું નથી. તે કારણે ઈહાજ્ઞાન અને સંશયજ્ઞાન વચ્ચે મોટે ભેદ છે. ઈહિત વસ્તુ જે સુબોધ હોય છે. તથા તે જીવને મતિજ્ઞાનાવરણ કર્મને વિશિષ્ટ ક્ષયે પશમ થાય છે, તો તે વસ્તુ અન્તર્મુહૂર્તકાળમાં નિયમથી નિશ્ચિત થઈ જાય છે. જે તે ઈહિત વસ્તુ ય હાય તથા જ્ઞાતાના મતિજ્ઞાનાવરણીયકર્મને વિશિષ્ટક્ષપશમ ન થયે હેય, તે તે જ્ઞાતા ઈહારૂપ ઉપગથી અમ્યુત બનીને જ ફરિથી અન્તર્મુહર્તાકાળસધી, એ વસ્તુને ઈહાજ્ઞાનના વિષયભૂત બનાવે છે. આ રીતે ઈહારૂપ ઉપગના અવિચ્છેદથી તેનાં અનેક અન્તર્મુહૂર્ત ઈહાજ્ઞાનમાં વીતી જાય છે, ત્યારે તે જાણે છે કે “અમુક વર્થઃ ” આ શબ્દજ છે રૂપાદિક નથી. ત્યારબાદ તે અવાયજ્ઞાનમાં પ્રવેશ કરે છે. તેને તે શબ્દરૂપ અર્થ ઉપગત-જ્ઞાત થાય છે. અવાયજ્ઞાન જે સમયે આત્મામાં પરિણત થઈ જાય છે, ત્યારે તે જ્ઞાતા વ્યક્તિ તે શબ્દરૂપ અને હૃદયમાં ધારણ કરવાને માટે ધારણારૂપ જ્ઞાનમાં પ્રવેશ કરે છે. ધારણા આત્મામાં એવા સંસ્કાર ઉત્પન્ન કરી નાખે છે કે જેથી આત્મા તે વસ્તુને કાળાન્તરે પણું ભૂલતા નથી. સંખ્યાતકાળ સુધી અથવા અસંખ્યાત કાળ સુધી તે વસ્તુ અવધારિત બની રહે છે. - હવે ચક્ષુ ઈન્દ્રિયથી અવગ્રહાદિક કેવી રીતે થાય છે તેનું સૂત્રકાર વર્ણન કરે છે.–“સે નાનામg૦” ઈત્યાદિ. શ્રી નન્દી સૂત્ર ૧૭૭
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy