SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થવાળા થઈ જાય છે. (૧) અર્થાવગ્રહના સમયને સમનન્તર જ સભૂત અર્થ વિશેષની તરફ ઢળતે જે વિચાર છે તેનું નામ આગનતા છે. (૨) આ અભેગનતાબાદ તે ભૂતઅર્થવિશેષને લઈને જે વિચારણા ચાલે છે કે જેમાં તે અર્થની સાથે અન્વય વ્યતિરેક ધર્મોનું અન્વેષણથાય છે તેનું નામ માર્ગ ણતા છે. (૩) ત્યારબાદ તે સદ્ભૂતઅર્થવિશેષનાવ્યતિરેક ધર્મનાં પરિહારથી અને તેમાં અન્વયધર્મના અધ્યાસથી જે ગવેષણ કરાય છે તેનું નામ ગષણતા છે. (૪) ત્યારબાદ શોપશમવિશેષથી જે એવિચાર આવે છે કે આ સદભૂત અર્થ પોતાના ધર્મની સાથે અનુગત છે, તેનું નામ ચિન્તા છે. (૫) પછી જે એવિચારથાય છે કે આ સદૂભૂતઅર્થમાં આ વ્યતિરેક ધર્મનથી પણ આ અન્વયધર્મ છે; તેથી વ્યતિરેક ધર્મના પરિત્યાગપૂર્વક જે આ અન્વયધર્મને વિચારથાય છે તેનું નામ વિમર્શ છે. દૃષ્ટાન્તદ્વારા આ વિષયને આરીતે સમજાવી શકાય. જ્યારે એવુંજ્ઞાન થાય છે કે “આ કંઈક છે ત્યારે સ્વાભાવિક રીતે જ એ જિજ્ઞાસા થાય છે કે “શું આ બગલાનીહાર છે અથવા પતાકા છે?” “પતાકાહેવી જોઈએ” આ વિચારધારાનુંનામજ આભેગનતા છે. ત્યારબાદ મનમાં જે વિચારઆવે છે કે તે પવન આવતા ઉપરની તરફઉડે છે, પવન ન આવતા નીચી જ રહે છે, તેથી ઉપર ફરકવું નીચે આવવું આદિ જે તેના અન્વયરૂપ ધર્મ છે તે એમાં મળી આવે છે, બગલાંનીહારમાં આ વાત બનતી નથી, તેથી તે પતાકા જ હોવી જોઈએ, કારણ કે તેમાં પતાકાના ધર્મોને સંબંધ જ બંધબેસતે થાય છે, બગલાની હારને નહીં. આ પ્રકારે માણતા, ગવેષણતા, ચિન્તા, અને વિમર્શ. એ ઈહાના પ્રકારે નિર્ણયથઈ જાય છે. મેં સૂ. ૩૧ | અવાયસ્યભેદાનાંપર્યાયાણાં ચ વર્ણનમ્ “ વિ ગાણુo” ઈત્યાદિ– શિષ્યપૂછે છે-“પૂર્વનિર્દિષ્ટ અવાયજ્ઞાનનું શું સ્વરૂપ છે? ઉત્તર–અવાયજ્ઞાન નીચે પ્રમાણે છ પ્રકારનું કહેલ છે-(૧) શ્રોત્રેન્દ્રિયથી પિદાથયેલ અવાય (૨), ચક્ષુઈન્દ્રિયથી પિદાથલ અવાય, પ્રાણેન્દ્રિયથી પેદા થયેલ અવાય (૪), જિહુવાઈન્દ્રિયથી પેદા થયેલ અવાય (૫), સ્પર્શેન્દ્રિયથી પેિદા થયેલ અવાય, તથા (૬) ને ઈન્દ્રિયથી પેદા થયેલ અવાય. તે અવાયના એ વિવિધ ઘષવાળા તથા વ્યંજનવાળા એકાર્થક પાંચનામ છે, જેવાંકે (૧) શ્રી નન્દી સૂત્ર ૧૬૭
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy