SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-રૂપરસાદિકનાપરિહારથી પ્રથમસમયમાં “આ શબ્દ છે, અશબ્દ રૂપાદિક નથી, ” એવું જ્ઞાન અવગ્રહ રૂપે માની લેવું જોઇએ. કારણ કે અર્થાવગ્રહના વિષય અપ સામાન્ય કહેા છે અને “ આ શબ્દ છે ” એવુ જ્ઞાન શબ્દમાત્રની અપેક્ષાએ સામાન્ય જ લાગે છે. હવે તેમાં ઈહા પણ ઉત્તરકાલમાં ઉત્પન્ન થઇ જશે, જ્યારે એવા અનુભવ થશેકે શ્રુંગ શબ્દના ધર્મ તીખા અનેકઠાર આદિ તેમાં ઘટાવીશકાતા નથી, પણ સામાન્ય રીતે માધુ આદિ શંખ શબ્દ નાધમાં તેમાં ઘટાવીશકાય છે. ત્યાર બાદ શબ્દ વિશેષના “ આ શંખના જ અવાજ છે” એવા નિણૅય થતા તેને અવાયજ્ઞાન માનીલેવાશે. ܕܕ ઉત્તર—એવી માન્યતા પણ સાચીમાનીશકાયતેમનથી કારણ કે જ્યો ડયમ્ ” આ શબ્દ છે. એવી શબ્દબુદ્ધિ પણ જે અર્થાવગ્રહરૂપે મનાય, અને શબ્દવિશેષને નિય અવાયરૂપેમનાય તે પછી અવગ્રહજ્ઞાન શું હશે ?એવી કલ્પનામાં તે અવગ્રહના અભાવ જ પ્રસક્ત હશે, કારણ કે અવગ્રહનું સ્થાન અવાયલઇલેછે. જો આપ એમકહે કે આ શબ્દ છે ” એવા સામાન્યજ્ઞાનને અવાય કેમ મનાય ? તેના ઉત્તર આ પ્રમાણે છે—આ જ્ઞાન સામાન્ય નથી પણ વિશેષ છે. વિશેષ ગ્રાહક જ્ઞાનને અવાય માનવામાં અવેલ છે. 66 પ્રશ્ન—જો ફરીથી પણ એમ કહેવામાં આવેકે “શંખના જ આ શબ્દ છે” આ પ્રકારનું ઉત્તર કાલભાવીજ્ઞાન જ શબ્દવિશેષનું ગ્રાહક હાવાથી વિશેષ ગ્રાહકજ્ઞાન માનીશકાશે, આ શબ્દ છે એવું જ્ઞાન નહીં, એટલે કે એ તે શબ્દ સામાન્યનુ ગ્રાહક હાવાથી સામાન્યજ્ઞાન જ માનવામાં આવશે; કારણ કે તેમાં શબ્દ સામાન્યના જ પ્રતિભાસ થાય છે, વિશેષનેા નહીં. તેથી “ શબ્દ છે” એવાં સામાન્ય પ્રતિભાસવાળાં જ્ઞાનને અવાય પ્રાપ્ત હૈાવાના પ્રસંગ કેવી રીતે પ્રતિપાદિત કર્યાં છે ? આ શ્રી નન્દી સૂત્ર ૧૬૩
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy