SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ એ દૂર દેશસ્થ આવૃત પદાર્થોનું તેમના દ્વારા પ્રકાશન થઈ શકતુ નથી, તેથી ચક્ષુ દ્વારા ગૃહીત પદાર્થીનુ જ જે પ્રકાશન થાય છે તે એ માનવામાં કાઇ વાંધે નથી કે ચક્ષુ પ્રાપ્યકારી છે. ઉત્તરચક્ષુ મનની જેમ અપ્રાપ્યકારી જ છે. અપ્રાપ્યાકારીના પક્ષમાં એ પૂર્વોક્ત જે વાત કહેવાઈ છે કે તે મનની જેમ દૂર રહેલ પદાર્થોનું પ્રકાશન કેમ કરતાં નથી તે એ વાતને માટે અહીં પ્રાપ્ત થવાના અવસર જ નથી, કારણ કે મન પણ આગમગમ્ય આદિ સૂક્ષ્મ પદાર્થાંનું પ્રકાશન કરતું નથી. તેથી જેમ મન અપ્રાપ્યકારી હોવા છતાં પણ પાતાનાં આવરણોના ક્ષયે પશમ પ્રમાણે નિયતવિષયવાળુ મનાયું છે—એટલે કે ચેાગ્ય દેશમાં રહેલ પદાર્થોનુ ગ્રાહક મનાયું છે, અનિયત પદાર્થનું નહીં. એજ રીતે ચક્ષુ પણ અપ્રાપ્યાકારી હાવા છતાં પોતાનાં આવરણુના ક્ષાપશમ પ્રમાણે નિયત વિષયના હાય છે, અનિયત વિષયના નહીં, એટલે કે ચેગ્ય દેશમાં રહેલ રૂપનું પ્રકાશન કરે છે, વિષયભૂત સ્થાનમાં રહેલ રૂપનું નહીં. આ રીતે એ વાત સમજવામાં વાર થતી નથીઁ કે ચક્ષુ વ્યવહિત પદાર્થાનુ તથા દૂર રહેલ પદાર્થનું પ્રકાશન કરતાં નથી, તેથી આ પ્રકારના પ્રસંગ જે શંકા કરનારે અપ્રાપ્યકારીની માન્યતા માટે આપેલ છે તે ચેગ્ય નથી. પ્રકાશક તથા—તે પ્રકારના સ્વભાવ વિશેષથી ચક્ષુમાં ચેાગ્ય દેશની અપેક્ષા દેખાય છે, તેનું તાત્પર્ય એ છે કે ચક્ષુ અપ્રાપ્યકારી હાવા છતાં પણ ચેાગ્ય સ્થાનમાં રહેલ પદાર્થનું જ પ્રકાશન કરશે, કારણ કે તેને એવા સ્વભાવ છે. અયેાગ્ય સ્થાનમાં રહેલ વસ્તુનું પ્રકાશન કરવાને તેના સ્વભાવ જ નથી. જેમ લેાહુચુંબકના સ્વભાવ અપ્રાપ્ત લેાઢાને આકર્ષવાને છે તે તેનું તાત્પ એચેડ છે કે તે આખા સંસારના લેાઢાને આકર્ષે ! તે તે ચાગ્ય સ્થાનમાં રહેલ લેાઢાનુ આકષ ણુ કરશે, કારણ કે તેને એવા જ સ્વભાવ છે. એજ પ્રમાણે ચક્ષુને શ્રી નન્દી સૂત્ર ૧૫૦
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy