SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ હાય છે તે તેનાથી જુદા જ પ્રકારના ખીજાં ક્ષત્રિયાક્રિકામાં હાતી નથી, તેથી તેઓમાં પણ એકના કરતાં અમદ્ધિકપણું' આવવાથી અપકૃષ્ટતા આવી જાય. આ રીતે તેમને પણ મેાક્ષપ્રાપ્તિના કારણેાની વિકલતા હોવાના પ્રસ`ગ મળશે. જો એવી દલીલ કરી કે પુરૂષવગની જે ઘણી જ ભારે તીર્થં મેં કરત્વરૂપ મહાઋદ્ધિ છે તે તેએમાં નથી, આ અપેક્ષાએ તેમનામાં અમહુદ્ધિકતા ગણાય છે. તે એમ કહેવુ તે પણ ઉચિત નથી, કારણ કે કેટલીક મહાપુણ્યશાળી સ્ત્રીઓને તે તીથ કરવિભૂતિની પણ પ્રાપ્તિ થઈ છે. તેની પ્રાપ્તિ થવામાં ત્યાં કાઈ વિધ નડતા નથી, કારણ કે તેના વિરોધને સિદ્ધ કરનાર કાઇ પણ પ્રમાણુ નથી. તથા તમે એવી જે દલીલ કરી છે કે સ્ત્રીઓમાં માયાદિકની પ્રક તા છે તેથી એ પ્રકર્ષતાવાળી હાવાને કારણે તે પુરૂષો કરતાં હીન છે, તે એમ કહેવું તે પણ ઉચિત નથી, કારણ કે આ લાકમાં સ્ત્રી અને પુરૂષ અને સમાનરૂપે માયાના પ્રકવાળા દેખાય છે. આગમ પણ એવુ જ કહે છે કે ચરમશરીર નારકાઢિકામાં પણ મયાદિકની પ્રકતા હોય છે. તેથી પુરૂષો કરતાં હીન હાવાથી સ્ત્રીઓના માક્ષના કારણેાની નિકલતા સિદ્ધ થતી નથી. એટલે કે મેક્ષનાં કારણાને સ્ત્રીઓમાં સદ્ભાવ છે. વળી તમે એવી દલીલ કશ કે મુક્તિસ્થાન આદિની પ્રસિદ્ધિ નહીં હાવાથી તેના અભાવે એજ જાણવા મળે છે કે તેમને મેાક્ષ મળતા નથી. જો સ્ત્રીઓમાં મેાક્ષનાં કારણેાની અવિકલતા હોત તો તેમને મેાક્ષ પણ હાઈ શકત, અને એ કારણથી તેમનાં મુક્તિનાં સ્થાનાની પણ પ્રસિદ્ધિ થાત; એવુ કઈ પણ ન હેાવાથી સ્પષ્ટ સમજાય છે કે તેમને મોક્ષ મળતા નથી. તેા એમ કહેવું તે પણુ ઉચિત નથી, કારણ કે એવી કાઈ આવ્યાપ્તિ તે છે નહી કે જેમના જેમના મુક્તિસ્થાનાની પ્રસિદ્ધિ છે તેમને જ મેાક્ષ મળ્યા હાય છે? એવુ તે શાસ્ત્રામાં વિશેષરૂપે કહેલ નથી કે આ પુરૂષોનુ મેાક્ષ સ્થાન છે. પણ એવુ જ શ્રી નન્દી સૂત્ર ૧૦૮
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy