SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન્દ્રિયને વશ કરવાથી પૂજ્યતા મળે છે તે બતાવે છે –“ ઇત્યાદિ અર્થ –ધનાદિક મેળવવાનો ઉદ્યોગ કરવાવાળા માણસ, આશાને વશ થઈને લેઢાના તીખા કાંટાને ખુશીથી સહન કરી શકે છે; જેવી રીતે જલનાં ટીપાંને વરસાદ થવાથી પર્વતમાં જરાય વિકાર-અસલ સ્થિતિમાં ફેરફાર થતું નથી, અને કવચ ધારણ કરનારા દ્ધાએ પોતાના ઉપર તીક્ષ્ય બાણેને માર પડે તે પણ ચિત્તને જરાય ચલાયમાન કરતા નથી તે પ્રમાણે જે સાધુ પિતાના કાનને બાણ જેવાં લાગે અને મનમાં પીડા ઉત્પન્ન કરે તેવા વચનને પણ નિઃસ્પૃહ થઈને સહન કરી લે છે અને પિતાના મનમાં જરાય પણ ખેદ પામતા નથી તેજ પૂજનીય થાય છે. (૬) pદત્તકરવા ઈત્યાદિલેઢાને કાંટે થોડા સમય સુધી પણ દુ:ખરૂપ થાય છે, જ્યારે તે લાગે છે ત્યારેજ ઘણું કરી દુઃખ થાય છે, તે પણ તે કાંટાને સરલતાથી શરીર બહારથી કાઢી જૂદે કરવામાં આવે છે, પરંતુ આ લેકમાં વેરને. અનુબંધ (સંબંધ) કરાવાવાળા અને પરલેકમાં નરક આદિ કુમતિઓમાં લઈ જવા વાળા મહા ભયંકર કઠોર વચન રૂપી કાંટે નીકળવે તે બહુ કઠિન છે; અર્થાત મર્મસ્થાનમાં ઘા કરેલ વચન રૂપી કાંટે નીકળો તે અત્યંત કઠિન છે. (૭) “મારચંતા ઈત્યાદિ–જે દુર્વચન-ખરાબ વચને રૂપી પ્રહાર, કાનમાં પ્રવેશીને સમુદિત થઈને હૃદયની તરફ આવે છે, તે વખતે જ મનમાં દુષ્ટ વિચારો ઉત્પન કરે છે. પરંતુ જે સાધુ નિરિક હોય છે, અદ્વિતીય શૂરવીર હોય છે. તથા ક્ષમા કરવી તે પોતાને ધર્મ સમજે છે, તે એવાં વચને સાંભળીને ખેદ કરતા નથી, તે સંસારમાં પૂજનીય થાય છે. ભાવ એ છે કે :-વાગબાણ (વચનરૂપી બાણ) સહન કરવામાં મુનિને કઈ પ્રકારની ઈચ્છા (લિસા) નથી. “જેવી રીતે માતાજ પિતાના બાળકનું કલ્યાણ કરે છે, તે પ્રમાણે ક્ષમા જ સાધુનું સર્વ પ્રકારે કલ્યાણ કરે છે” એવું સમજીને જે ક્ષમા કરે છે તેજ મુનિ પૂજનીય થાય છે. મજકુરે આ પદથી એ જણાવવામાં આવ્યું છે કે :-જે અન્તરંગ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે તેજ વીર પુરુષમાં શ્રેષ્ઠ થઈ શકે છે કેમકે તેજ મેક્ષ રૂપી સામ્રાજ્યના અધિકારી થાય છે. અન્ય નહિ. “નિદિ પદની એ પ્રગટ થાય છે કે –ઝેર જેવાં કડવા વચને પણ સાધુ, અમૃત સમાન મીઠાં કરી લે છે (૮) “અવાએ ૨ ઈત્યાદિ-જે સાધુ, પરીક્ષામાં અથવા પ્રત્યક્ષમાં કોઈની નિન્દા કરતા નથી. અર્થાત કોઈને દુરાચારી આદિ અપશબ્દ કહેતા નથી, તથા અન્યને અપકાર કરનારી ભાષા બોલતા નથી જેમકે “આ દંડ યોગ્ય છે” ઈત્યાદિ, તથા “હું કાલે ત્યાં અવશ્ય જઈશ” ઈત્યાદિ પ્રકારની નિશ્ચયકારી ભાષા બોલતા નથી. તથા તારો શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૫૫
SR No.006468
Book TitleAgam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy