SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ કેમ નથી લાગતા ? એ પ્રશ્નનુ સમાધાન કરે છે- નામા॰ ઇત્યાદિ સસાર ભ્રમણના ભયથી સ્વપરની રક્ષા કરનારા જ્ઞાતપુત્ર શ્રી મહાવીર ભગવાને નિર્દોષ વસ્ત્રાદિનું ગ્રહણ કરવું અને પરિગ્રહ કહ્યો નથી. કારણ કે વસ્ત્રાદિ ચારિત્રનાં પુષ્ટાલખના છે, કિંતુ વસ્ત્રાપાત્રાદિમાં આસક્તિરૂપ મૂર્છાને પરિગ્રહ કહ્યો છે એવું કથન શ્રી સુધાં સ્વામીએ બૂ સ્વામીની પ્રતિ કર્યું છે. (૨૧) હે ગુરૂમહારાજ ! અકિચનામાં (જેમની પાસે કાંઇ પણ નથી એવા દીન--હીન જને માં) વસ્ત્રાદિજન્ય સુખની પ્રાપ્તિના લેભથી વસ્ત્રાદિમાં આસિત જોવામાં આવે છે. તે વસ્ત્રાદિને ધારણ કરનારાઓને-વસ્ત્રાદિ જન્ય સુખને ભગવનારાઓને તથા તેના ત્યાગ કરવાની ઇચ્છા ન રાખનારાઓને એ વસ્ત્રાદિમાં આસક્તિ થવી એ અનિવાય છે. એટલે વસ્ત્રાદિ રાખવા છતાં પણ સાધુ મૂર્છાવાન કેમ નથી થતા? એ પ્રશ્નનું સમાધાન કરે છે સભ્યઘુવંદળા ઇત્યાદિ ――――― સ ક્ષેત્ર અને સર્વ કાળમાં કલ્પને અનુસારે પ્રસ વસ્ત્રાદિથી યુકત પણ આચાર–ગોચરના જ્ઞાની મુનિ પેાતાના શરીર પર પણ મમતા કરતા નથી, તે પરમ કરૂણા પૂર્વક કેવળ ષડૂજીવનિકાયની રક્ષાને માટે ધારણ કરવામાં આવનારાં વસ્ત્રાદિ પર મમતાની આશકા કેવી રીતે કરી શકાય ? મુદ્દા શબ્દથી એમ ધ્વનિત થાય છે કે—સમ્યગ્ જ્ઞાનરૂપી સૂર્યનાં કિરાથી પ્રકાશમાન અંત:કરણરૂપી આકાશવાળા મુનિએની સમીપે મૂર્છાના મૂળરૂપ ચારિત્ર મેહનીયરૂપી તિમિર રહી શકતુ નથી, તા તેનું કાર્ય મૂર્છા કેવી રીતે રહી શકે ? અર્થાત્ રહી શકેજ નહિ. (૨૨) જ્જુ સ્થાન કહે છે— નો નિશ્ચં॰ ઇત્યાદિ— અહા ! જિનશાસનને કેવે! મહિમા છે, કે- એક ભકત અર્થાત્ સદા સયમનું અનુસંધાન રાખવું અને દિવસમાં એકવાર ભાજન કરવું, અથવા દિવસમાંજ @જન કરવું, એ પ્રતિદિન થનારાં કર્મ (ક્રિયા)ને પણુ ભગવાને તપશ્ચર્યાં કહી છે. અથવા સંયમથી અવિરૂદ્ધ એક ભકતને અથવા સંયમથી અવિરૂદ્ધ ભિક્ષાચર્ચ્યાદિ પ્રત્યેક ક્રિયાને તથા એક ભકત ભોજનરૂપ પ્રતિદિન ધનારી ક્રિયાને પણ ભગવાને તપ કહ્યું છે. (૨૩) રાત્રિ ભેાજનના દોષા બતાવે છે... અંતિમે॰ ઇત્યાદિ— જે પ્રત્યક્ષ દેખાતાં સૂક્ષ્મ ત્રસ અને સ્થાવર પ્રાણીએ વિધમાન છે તે પ્રાણીએ રાત્રે ચક્ષુઇ દ્રિયના વિષય થતાં નથી (દેખાતાં નથી) તે પછી સાધુ રત્રે આધાકદિ દોષાથી રહિત આહારને કેવી રીતે ભેગવી શકે, અર્થાત્ ન ભાગવી શકે, કારણુ કે રાત્રે પ્રાણીનું ઉપમન જરૂર થાય છે. આહાર ભલે વિશુદ્ધ હાય, પરન્તુ તેમાં જીવે શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ઝ
SR No.006468
Book TitleAgam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy