SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનને અથવા ગણધરને તથા સામાન્ય સાધુઓને સર્વસાધુ કહે છે. મૃષાવાદ સમસ્ત સંસારમાં સર્વ સાધુઓ (ગણધર) દ્વારા અથવા સર્વજ્ઞદ્વારા તથા સાધુઓ દ્વારા ગહિંત છે. અર્થાત્ લોકિક અને લોકેત્તરમાં વિવિધ અનર્થોનું કારણ હોવાથી નિંદિત છે. મૃષાવાદી પર કેઈને વિશ્વાસ રહેતું નથી. એટલે એને પરિત્યાગ કરવો જોઈએ, આશય એ છે કે એ મૃષાવાદ સર્વ મહાપુરૂદ્વારા નિંદિત છે, એટલે એવું આચરણ કરવું ન જોઈએ. (૧૩) વિત્તમંત– ઈત્યાદિ તથા તે ગq– ઇત્યાદિ– શિષ્યાદિ સચિન, વસ્ત્રપાત્રાદિ અચિત્ત, એર'ડાનું લાકડું આદિ મૂલયમાં બહુ, પત્થર- હે આદિ પ્રમાણમાં બહ, વધારે શું ! દાંત ખેતરવાનું તણખલું પણ તેના સ્વામીની આજ્ઞા લીધા વિના સંયમીઓ સ્વયં ગ્રહણ કરતા નથી અને ગ્રહણ કરનારની અનુમોદના કરતા નથી. (૧૪-૧૫) ચોથું સ્થાન કહે છે– ગર્વમરિયં- ઈત્યાદિ ચારિત્રની સર્વથા વિરાધના કરનારા પ્રાણાતિપાત આદિથી હીતે ભિક્ષ, સંસારમાં ઘોર દુઃખના જનક, સત અસના વિવેકથી વિકળ બનાવીને અનવધાનતારૂષ પ્રમાદને પેદા કરનારા જન્મ જરા મરણની પીડાથી ભરેલા અપાર સંસારમાં વારંવાર પરિભ્રમણ કરાવવાના કારણરૂપ, દુષ્કલદાતા એવા અબ્રહ્મચર્યનું સેવન કદાપિ કરતે નથી ઘોર શબ્દથી એમ સૂચિત કર્યું છે કે અબ્રહ્મચર્ય હિંસા આદિ અનેક દારૂણ કર્મોનું કારણ છે. “પમા’ શબ્દથી એમ પ્રદર્શિત કર્યું છે કે એનું સેવન કરનાર પ્રાણી મૂઢ (વિવેકવિકળ) બની જાય છે. સુદાદિય શબ્દથી અબ્રહ્મચર્યને નારકાદિ કહુફળનું દાતો બતાવ્યું છે. (૧૬) પૂ . ઈત્યાદિ એ અબ્રહ્મચર્ય અધર્મનું મૂળ છે, તથા વધબંધનાદિ મહાદેની ખાણ છે એ કારણે શ્રમણ એ પ્રાણાતિપાત આદિ પાપને પિદા કરનાર મૈથુન સંસર્ગ – આથત સ્ત્રીઓની સાથે બેસીને વાર્તાલાપ કથા અંગે પાંગોને જોવાઆદિને પરિત્યાગ કરે છે. મજસ પૂરું એ પદથી એમ પ્રકટ કર્યું છે કેઅબ્રહ્મચર્યનાં પાપને અંત આવી શક નથી, કારણકે વારંવાર અશુભ ભાવનારૂપી અંકુરાની ઉત્પત્તિ અવશ્ય થાય છે માવોસણમુક્ષયે પથી સર્વત્રને સંગ પ્રદશિત કર્યો છે. દુvસંસ થી બ્રહ્મચર્યની કઈ પણ વાડને ભંગ કરવાથી વ્રતમાં મલિનતા પ્રકટ કરી છે. નિર્થ શબ્દથી એમ વ્યકત કર્યું છે કે- અબ્રહ્મચર્યને ત્યાગીજ નિગ્રંથ થઈ શકે છે. (૧૭) શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨
SR No.006468
Book TitleAgam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy