SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ હવે બાર ભિક્ષ પ્રતિમાનાં અનુક્રમે નામ કહે છે:–“માણિયા' ઇત્યાદિ. માસિકી દ્વિમાસિક આદિનો અર્થ સ્પષ્ટ છે. અહીં એ સમજવું જોઈએ કે–પહેલી પ્રતિમાથી લઈને સાતમી સુધી સાત ભિક્ષુપ્રતિમાઓ સાત માસમાં પૂર્ણ થાય છે. તેમાં પ્રત્યેક પ્રતિમા એક-એક માસની થાય છે. સારાંશ એ છે કે પૂર્વ પૂર્વની પ્રતિમાને સમય સરખાવતાં બીજી પ્રતિમા દ્વિમાસિકી, ત્રીજી ત્રિમાસીકી આદિ, એ પ્રમાણે સાતમી સપ્તમાસિકી એવી સંજ્ઞા હોય છે. આઠમી નવમી અને દશમી, આ ત્રણ પ્રતિમાઓ પ્રત્યેક સાત-સાત અહોરાત્રની હોવાથી આ ત્રણેમાં એકવીસ દિવસ લાગે છે. અગીયારમી પ્રતિમા એક અહેરાત્રની અને બારમી એક રાત્રિની હોય છે. એ પ્રકારે બાર ભિક્ષુપ્રતિમાઓનાં આરાધનમાં સાત માસ ત્રેવીસ દિવસ લાગે છે. ત્યાર પછી અવશિષ્ટ બાકી રહેલા દિવસોમાં વિહાર કરીને ચોમાસું આવ્યા પહેલાં મારાં માટે બીજા ક્ષેત્રમાં પહોંચી શકે છે. (સૂ ૨) ભિક્ષુપ્રતિમાપારીકે કર્તવ્યના વર્ણન હવે પ્રથમ પ્રતિમાનું વર્ણન કરવામાં આવે છે_*માસિઘં ' ઇત્યાદિ. માસિક-એક માસની પ્રથમ પ્રતિમાને સ્વીકાર કરવાવાળા અનગારને જે દેવ મનુષ્ય અને તિર્યંચ સંબંધી કેઈ ઉપસર્ગsઉપદ્રવ ઉત્પન્ન થાય તે તેણે તે કાયને વીસરી-દેહમમતા રહિત થઈને સમ્યફ પ્રકારે જે રીતે કર્મનિર્જરા થાય તે પ્રકારે “ક” મુખ આદિથી વિકાર ન કરતાં સહન કરે “વમા ધરહિત થઈ અમે તિતિવવી અદીન ભાવે સહન કરે અને જીવનની આશા, મરણના ભય રહિત થઈને નિશ્ચલ ભાવથી સહન કરે. અથવા એ પણ અર્થ થાય છે કે પહેલી પ્રતિમાપ્રતિપન્ન અનગારના કાર્યોત્સર્ગ અવસ્થા યુક્ત મમત્વરહિત શરીરમાં જે મનુષ્ય તિર્યંચ સંબંધી ઉપસર્ગ ઉપસ્થિત થાય તે તેણે કેધાદિભાવરહિત થઈને અદીન મનથી જીવનઆશા મરણભય રહિત થઈને સમ્યક્ પ્રકારે સહન કરવાં. (સૂ. ૩) ભિક્ષુપ્રતિમાપારીકે ભિક્ષાવિધિકા વર્ણન હવે સૂત્રકાર ફરીને ઉકત વિષયનું જ વર્ણન કરે છે –“મારાં ” ઈત્યાદિ માસિકી ભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગારને એક માસ સુધી પ્રતિદિન એક દત્તિ અન્નની અને એક દત્તિ પાણીની લેવી કપે છે. અહીં દત્તિનો અર્થ એ છે કે – દાતાદ્વારા દવ (કડછી) અથવા વાટકા આદિથી દેવાતા પદાર્થની ધારા ન ટુટે–અખંડ ચાલુ રહે ત્યાં સુધી તે દક્તિ કહેવાય છે અજ્ઞાતોએં-અજ્ઞાત= સાધુને ન જાણવા શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
SR No.006465
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages125
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy