SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પાલન કરતા નથી. સામાયિક=સમસ્થ ગા=સમા–સમ-રાગદ્વેષરહિત, સર્વભૂતોને આત્મવત્ જાણવારૂપ આત્મપરિણામ, તેનો આય. વધતી જતી શરદઋતુની ચન્દ્રકળાની પેઠે પ્રતિક્ષણ વિલક્ષણ જ્ઞાનાદિને લાભ, અથવા સમતાથી થવાવાળી પ્રતિક્ષણે અપૂર્વ ૨ કર્મનિર્જરાના કારણરૂપ શુદ્ધિને લાભ એજ જેનું પ્રયોજન હોય તેને સામાયિક કહેવાય છે, કહ્યું પણ છે – “सामायिकं गुणाना,-माधारः खमिस सर्वभावानाम् । नहि सामायिकहीना,-चरणादिगुणान्विता येन ॥१॥ तस्माज्जगाद भगवान् , सामायिकमेव निरुपमोपायम् । શારીરમાનતાને કુદરવનારાય મોક્ષય | ૨ | ઈતિ. અર્થ :- સામાયિક સર્વે ગુણેને આધાર છે. જેમ સર્વે ભાવનો આધાર આકાશ છે, તેમ સામાયિક વગરનામાં ચારિત્ર આદિ ગુણ હોતા નથી (૧) આથી ભગવાને સમાયિકને જ સર્વ દુ:ખનું વિનાશક મેક્ષ નિરૂપમ ઉપાય કહ્યું છે. (૨) સામાયિકનું વિવરણ વિસ્તારથી ઉપાસચદ્રશાં સૂત્રની પ્રાથસિંગની ટીકાથી જાણી લેવું. જોકે શ્રાવકને માટે બાર વ્રતનું સમ્યગ્ર આરાધન કરવું આવ શ્યક છે છતાં પણ તે સામાયિક વ્રત અને દેશાવકાશિક વ્રતનું સમ્યફ-તયા (સારી રીતે) શરીરથી આરાધના કરી શકતા નથી. આ ખીજી પ્રતિમા–ત્રત–પ્રતિમાનું બે માસમાં સંપાદન થાય છે. ૨. (સૂ ૧૯). હવે ત્રીજી ઉપાસકપ્રતિમાનું વર્ણન કરે છે.–કહાવરા તા’ ઇત્યાદિ. ત્રીજી પ્રતિમાનું હવે નિરૂપણ કરે છે–તેની ક્ષાત્યાદિ સર્વ ધર્મમાં રૂચિ થાય છે, ઈત્યાદિ અગાઉની પેઠે સમજવું જોઈએ તેને શીલ વ્રત આદિ ધારણ કરેલાં હોય છે. તે સામાયિક વ્રત અને દેશાવકાશિક વ્રતનું સભ્ય પાલન કરે છે પરંતુ ચતુર્દશી અષ્ટમી અમાવાસ્યા અને પૌમાસી, એ તિથિઓમાં પિષધેપવાસનું સમ્યક્ પાલન કરતા નથી. આ ત્રણમાસની પ્રતિમા છે ૩, (સૂ ૨૦). હવે ચોથી ઉપાસકપ્રતિમાનું વર્ણન કરે છે–‘બાહવા વાળો” ઈત્યાદિ. ત્રીજી પ્રતિમાનું નિરૂપણ કર્યા બાદ હવે ચોથી ઉપાસક પ્રતિમાનું નિરૂપણ કરવામાં આવે છે તેની ક્ષાત્યાદિ સર્વ ધર્મમાં રૂચિ હોય છે. તે સામાયિક વ્રત અને દેશાવકાશિક વ્રતનું સભ્ય પાલન કરે છે અને ચતુર્દશી અષ્ટમી અમાવાસ્યા તથા પણ માસી તિથિઓમાં પ્રતિપૂર્ણ પિષધનું સમ્યક્ અનુપાલન કરે છે. પરંતુ જે દિવસે ઉપવાસ કરે છે તે દિવસે અથવા રાત્રિમાં “વરાત્રિી ઉપાસકપ્રતિમાનું સમ્યક્ર આરાધન કરતા નથી. આ ચેથી ઉપાસકપ્રતિમા ચાર મહીનાની છે ૪ (સૂ. ૨૧) હવે પાંચમી ઉપાસકપ્રતિમાનું વર્ણન કરે છે–ગર મી” ઈત્યાદિ. શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
SR No.006465
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages125
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy