SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા અસમાધિસ્થાનરૂપી દોષના ભાગી થાય છે. (૨) 66 દુષ્મમનિતારી ” .—અવિધિથી તથા ઉપયેગ વિના વાળેલા માર્ગોમાં ચાલવાના જેના સ્વભાવ છે તે ત્રીજા અસમાધિસ્થાન દોષના ભાગી થાય છે. (૩) “ ના ” શબ્દથી શય્યા, સંસ્તારક, ઉપકરણ આદિ વિષયમાં પણ સમજી લેવું જોઇએ. કારણ કે આ ત્રણે સ્થાન ઇર્ષાંસમિતિસંબંધી છે. (૩) ‘ગતિ’ ઇત્યાદિ, જેના પર સુવાય છે તે શય્યા કહેવાય છે. તેની લંબાઇ શરીર જેવડી હાય છે, તથા ઉપલક્ષણથી સસ્તારક (સંથારા)નું પણ ગ્રહણ કરાય છે. સંસ્તારક અઢી હાથનું હાય છે. જેના ઉપર બેસવામાં આવે છે તેને આસન કહે છે. તે આતાપના સ્વાધ્યાય આદિનું સ્થાન છે, ઉપલક્ષણથી નિવાસસ્થાન પણ તેમાં લેવાય છે. મર્યાદાથી અધિક શય્યા તથા આસનના જે ઉપયેગ કરે છે તે ચતુર્થાં અસમાધિસ્થાન દોષના ભાગી થાય છે. પ્રમાણથી વધારે વસ્તુ ગ્રહણ કરવાથી તેનું પ્રમાન તથા પ્રતિલેખન ગ્ય રીતે થતું નથી. આથી તેમાં અનેક પ્રકારના ત્રસ તથા સ્થાવર જીવાની ઉત્પત્તિની સંભાવના છે, તેથી આવિરાધના તથા સચમવિરાધના અવશ્ય થાય છે. અહીં એક દૃષ્ટાંત છે: કોઇ એક મુનિ પ્રમાણથી અધિક શય્યા તથા સંસ્તારક આદિ રાખતા હતા. તે શય્યા તથા સંસ્તારક આદિનું યોગ્ય સમયે નિયમાનુસાર પ્રતિલેખન કરતા નહિ. આથી તેની શય્યા તથા સસ્તારાદિકમાં કુન્થુઆ આદિ અનેક જીવાની ઉત્પત્તિ થઈ. ગુરુજીએ વાર વાર કહ્યું છતાં પણ તે પાતાની શય્યા આદિનું પ્રમાન કરતા (સાફ કરતા) નહિ. એક સમય તેની શય્યામાં ( પથારીમાં) કાળા સપ` આવીને બેસી ગ્યે તે પ્રમાદી શય્યાને પ્રમાન અને પ્રતિલેખન કર્યાં વગર તેના ઉપર સુઈ ગયા. તે સ તેને કરડયા, અતિશય વેદના થવા લાગી જેથી તે પેાતાના પાપની આલેચના તથા પ્રતિક્રમણ કરી શક્યા નહિં એ કારણથી તે ખાલમરણથી મરી ગયા અને ચતુતિ સંસારને પ્રાપ્ત કર્યાં. આથી મુનિએ માટે ઉચિત છે કે મર્યાદાથી અધિક કાઇ ઉપકરણ ન રાખવું અને જે કંઇ મર્યાદિત ઉપકરણ હોય તેની પ્રતિલેખનાદિ ક્રિયા યથાયેાગ્ય કરે. (૪) ‘રાળÇ ' ઇત્યાદિ. જ્ઞાનાદિ રત્નવાળા રાત્મિક છે. અર્થાત્ દીક્ષામાં મેાટા રાત્મિક કહેવાય છે. જે સાધુ પર્યાયજ્યેષ્ઠની સાથે વિવાદ કરે છે તે અસમાધિ દોષના ભાગી થાય છે.(૫) 6 શેરો ’ ઇત્યાદિ. . વિરાને ઘાત કરવા માટે વિચાર કરવાવાળા, ઉપલક્ષણથી સમસ્ત મુનિના શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૦
SR No.006465
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages125
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy