SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ " હવે ભગવાન તેમની અવસ્થાનું વર્ણન કરે છે-‘ Ë વધુ ' ઇત્યાદિ. હું આયુષ્માન શ્રમણા ! આ પ્રકારે નિદાનકમ કરીને નિન્થ અથવા નિગ્રન્થી પૂર્વોકત નિદાનકર્મોના પાપની આલોચના કર્યાં વિના તથા તે પાપસ્થાનનું પ્રતિક્રમણ કર્યા વિના કાલ અવસરે કાલ કરીને ત્રૈવેયક આદિ દેવલેાકેામાંથી કાઇ એક દેવલાકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે દેવ મહાઋદ્ધિ મહાદીશ્તિશાળી થાય છે. તે ત્યાં અન્ય દેવાની દેવીએ સાથે તથા પેાતાની વિકૃતિ દેવીએ સાથે તથા પેાતાની દેવીએ સાથે કામક્રીડા કરતો વિચરે છે. પછી તે, તે દેવલાકમાં આયુ ભવ અને સ્થિતિને ક્ષય થયા પછી ત્યાંથી ચવીને ઉગ્ર આદિ ઉત્તમકુળમાં પૂર્વાવત્ પુરુષરૂપે ઉત્પન્ન થાય છે તથા પૂર્વાંકત પ્રકારે મનુષ્યસંબંધી સમસ્ત ભેગાને પ્રાપ્ત કરે છે. (સૂ૦ ૩૯ ) હવે નિદાનકર્મીના પ્રભાવનું વર્ણન કરે છે ' તમ નું ’- ઇત્યાદિ. ગૌતમસ્વામી પૂછે છે કે હે ભદન્ત ! દેવલાકમાંથી આવેલા અને પુરુષપણાને પ્રાપ્ત થયેલા નિદાન વાળાને શ્રમણ અથવા માહેણ ઉભયકાલ (સાયં પ્રાત:) કેવલિભાષિત ધર્મના ઉપદેશ આપે છે ? ભગવાન કહે છે-હે ગૌતમ ! આપે છે ગૌતમ-શુ તે એ ઉપદેશ સાંભળી શકે છે? ભગવાન—હા, સાંભળી શકે છે ? ગૌતમ-હે ભદન્ત ! તેએા શ્રમણ માહુણના વાકયમાં શ્રદ્ધા પ્રતીતિ તથા રૂચિ કરી શકે છે ? ભગવાન—હે ગૌતમ! નથી કરી શકતા. કેમકે–નિદાનકના પ્રભાવથી તેમાં શ્રદ્ધા આદિ કરવાની યાગ્યતા હાતી નથી. તે મહાતૃષ્ણાવાળા, મહાઆરભી અને મહાપરિમહી હેાવાથી મરીને દક્ષિણગામી નૈયિક થાય છે. તથા જન્માન્તરમાં ૪ભખોધિ થાય છે. હું આયુષ્માન્ શ્રમણ ! તે નિદાનકનું એવા પ્રકારનું પાપરૂપ ફલ થાય છે કે જેથી તે કૈવલી ભગવાનના કહેલા ધર્મમાં શ્રદ્ધા પ્રતીતિ અને રૂચિ કરી શકતા નથી. (૫) (સ્૦ ૪૦ ) ઈતિ પાંચમુ નિદાન હવે સ્વવિકુવૃિત, સ્વકીયદેવીભાગસંબંધી છઠ્ઠા દેવભવનદાનનું વર્ણન કરે છે‘પર્વ વહુ' ઇત્યાદિ. હે આયુષ્માન્ શ્રમણા ! મેં આ ધર્મની પ્રરૂપણા કરી છે. બાકીનું વર્ણન પહેલા સૂત્રના જેવુંજ છે તે નિગ્રન્થ ધમ માં ઉપસ્થિત સાધુ અથવા સાદૈવી સંયમ માર્ગોમાં પરાક્રમ કરે છે અને પરાક્રમ કરતાં મનુષ્યસમ ધી કામભોગામાં નિવેદવિરકિત પામે છે અને વિચાર કરે છે કે-આ મનુષ્યસ બધી કામભોગ અનિત્ય અને વિનાશી છે તથા અશુચિરૂપ છે, કિન્તુ ઉપર દેવલેાકમાં જે દેવતા છે તે અન્ય દેવાની દેવીએની સાથે કામક્રીડા કરતા નથી, પણ પેાતાનાજ આત્માથી વૈક્રિય શકિતદ્વારા દેવ અને દેવીઓનાંરૂપ બનાવીને કામક્રીડા કરે છે. અથવા પાતપાતાની દેવીઓને વશ કરીને તેમની સાથે કામક્રીડા કરે છે. જો અમારાં આ તપ નિયમ આદિનું કાંઇ ફૂલ હોય તા અમે પણ દેવ બનીને આ પ્રકારના દેવસ બધી ભેગા ભોગવીએ. (સૂ૦ ૪૧). શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૦૮
SR No.006465
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages125
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy