SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ નિન્થિયોકે સ્ત્રિસમ્બન્ધી નિદાન કર્મકા વર્ણન હવે ધર્મના વિષયમાં નિદાનનું કુલ કહે છે—તીસેĪ' ઇત્યાદિ. ગૌતમસ્વામી પૂછે છે-હે ભદન્ત ! નિદાન કરવાવાળી સ્ત્રીને શ્રમણ અથવા માહ્ન શું કેપ્રિતિપાદિત ધર્મના ઉપદેશ આપી શકે છે? હે ગૌતમ ! આપી શકે છે. હે ભદન્ત ! તે, તે ધમને સાંભળી શકે છે ? હે ગતમ ! નથી સાંભળી શકતી તે ધમ સાંભળવાને ચેામ્ય નથી. કેમકે તે મહેચ્છા–મહાઇચ્છાવાળી, મહાઆર ભવાળી, મહાપરિગ્રહવાળી, અધાર્મિક, અધર્માંની પાછળ ચાલવાવાળી, અધમનું સેવન કરવાવાળી, અધર્મિષ્ઠ, અધર્મની પ્રરૂપણા કરવાવાળી, અધર્મીમાં અનુરાગ રાખવાવાળી, અધર્મને જોવાવાળી, અધમ જીવી, અધર્મ ને ઉત્પન્ન કરવાવાળી, અધમ પરાયણ, અને અધર્માંથી જ જીવનનિર્વાહ કરવાવાળી હોય છે. એટલે તે મરી જતાં દક્ષિણગામી નયિક થાય છે. પછી તે આગામી જન્મમાં દુર્લભ ખાધી થાય છે. અર્થાત્ તેને જૈનધર્મની પ્રાપ્તિ થતી નથી. હૈ આયુષ્માન શ્રમણા ! નિદાન કર્મનું એ પાપરૂપ ફૂલ થાય છે કે જેથી તે કેલિભાષિત ધ સાંભળી શકતી નથી. (સૂ૦ ૨૭) આ બીનુ નિદાન છે. (૨) હવે ત્રીજી નિદાન કહે છે- 'વહુ” ઇત્યાદિ. હે આયુષ્માન્ શ્રમણા ! એ પ્રકારે મેધપ્રતિપાદન કર્યું છે. આ નિગ્રન્થ પ્રવચન સત્ય છે તેથી ખરાખર રીતે તેની આરાધના કરવાવાળા જીવ સમસ્ત દુ:ખાના અંત લાવે છે. જે ધર્મની શિક્ષા પ્રાપ્ત કરવા માટે ઉપસ્થિત થઇને વિચરતા નિન્દ ક્ષુધા પિપાસા આદિ પરીષહેાને સહન કરતાં અને તપ સચમમાં પરાક્રમ કરતાં મેહકર્મીના ઉદયથી વિષયવાસનાયુકત થતા જુએ છે કે–આ સ્ત્રી એકલી પેાતાના ઘરના અશ્વ ના ઉપભાગ કર્યાં કરે છે, અદ્વિતીય છે અર્થાત્ તેને સપત્ની નથી, રૂપ લાવણ્યમાં સૌથી શ્રેષ્ઠ છે અહીં યાવત્ શબ્દને એ અર્થ જાણવા જોઇએ કે–ઉત્તમ જાતનાં આભરણ તથા વસ્ત્રોથી ભૂષિત, તેલની કુપ્પીની પેઠે સુરક્ષિત રહે છે, કપડાંની પેટીની પેઠે સુગુપ્ત અને રત્નાની પેટીની પેઠે આદરણીય છે. તેને આવતી જતી વખતે દાસ દાસીએ હમેશા સેવામાં રહે છે. અને પ્રાના ક૨ે છે કે-હૈ સ્વામિની આપની શુ આજ્ઞા છે ? અમે શું કરીએ આપને કયા પદાર્થ રૂચિકર છે ? ઇત્યાદિ. એ પ્રકારે સુખાના અનુભવ કરતી તે સ્ત્રીને જોઈને નિગ્રન્થ નિદાન કરે છે. (સૂ૦ ૨૮) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૦૩
SR No.006465
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages125
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy