SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનકે આગમનકા શ્રેણિક રાજાકો નિવેદન ઉક્તવિષયનું ફરી વર્ણન કરે છે-“તા તે મામા' ઈત્યાદિ. ભગવાનના આવ્યા પછી શ્રેણિક રાજાના ઉદ્યાનપાલક આદિ જે સ્થાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજતા હતા ત્યાં આવ્યા અને તેમણે ભગવાનની ત્રણવાર પ્રદક્ષિણા કરી તેમને વંદના નમસ્કાર કર્યો, વંદના નમસ્કાર પછી તેમનું નામ ગોત્ર પૂછ્યું અને હૃદયમાં ધારણ કર્યું ત્યાર પછી તે બધા એકત્રિત થયા અને એકાન્તસ્થાનમાં જઈને પરસ્પર કહેલા લાગ્યા કે—હે દેવાનુપ્રિયે! જેને દર્શન નની શ્રેણિક રાજા ભંભસાર ઈચ્છા, સ્પૃહા, પ્રાર્થના તથા અભિલાષા કરે છે, તથા જેનું નામ તથા ગેત્ર સાંભળીને શ્રેણિક રાજા હર્ષિત અને સંતુષ્ટ થઈ જાય છે, તે ધર્મના પ્રવર્તક ચારેય તીર્થનું પ્રવર્તન કરવાવાળા કેવળજ્ઞાનથી સકલ પદાર્થને જાણવાવાળા, કેવલદર્શનથી સમસ્ત વસ્તુઓને સાક્ષાત્કાર કરવાવાળા, એક ગામથી બીજે ગામ વિચરતા વિચરતા સુખપૂર્વક વિહાર કરતા કરતા રાજગૃહ નગરમાં આવ્યા છે અને નગરની બહાર ગુણશિલક નામના ઉધાનમાં વિરાજમાન છે. સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા વિચારે છે તે હે દેવાનુપ્રિયે! આપણે જઈએ અને શ્રેણિક રાજાને આ પ્રિય વૃત્તાન્ત નિવેદન કરીએ. “આપનું કલ્યાણ થાઓ ” એવાં મંગલમય વચન બોલતા બોલતા એક બીજાનાં કથનને સ્વીકાર કરે છે. ત્યાર પછી જ્યાં રાજગૃહ નગર છે ત્યાં નગરના મધ્યમાં થઈને જ્યાં શ્રેણિક રાજાને રાજમહેલ છે જ્યાં શ્રી શ્રેણિક મહારાજ વિરાજમાન હતા ત્યાં ગયા. ત્યાં જઈને તેઓએ હાથ જોડીને શ્રેણિક મહારાજને જય વિજય સાથે વધાવીને કહેવા લાગ્યા કે-હે સ્વામિન્ ! જેનાં દર્શનની આપ ઈચ્છા કરે છે તે જ મહાવીર સ્વામી નગરની બહાર ગુણશિલક નામના ઉદ્યાનમાં પધારી ગયા છે. તે માટે તેમનાં આગમનરૂપ પ્રિય વૃત્તાન્ત અમે આપને નિવેદન કરીએ છીએ. આપનું કલ્યાણ થાઓ. (સૂ ૬) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૯૩
SR No.006465
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages125
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy