SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ મંડળથી અત્યંતર ત્રીજા અધમંડળને આકમિત કરીને ગતિ કરે છે. તે પછી પ્રવર્તમાન યુગમાં ત્રીજી અહોરાત્રે ઉત્તર દિશામાં પાંચમા અર્ધમંડળમાં ગમન કરીને બ્રમણ કરે છે. ફરી પાંચમી અહેરાત્રીમાં દક્ષિણ દિશામાં છઠ્ઠા અર્ધમંડળને આકમિત કરીને ગમન કરે છે. તથા છઠ્ઠી અહોરાત્રે સાતમા અર્ધમંડળને ઉત્તરદિશાને આકમિત કરીને ગતિ કરે છે. તથા સાતમી અહોરાત્રે આઠમા અર્ધમંડળને દક્ષિણદિશાને આકમિત કરીને ગમન કરે છે. ફરીથી આઠમી અહોરાત્રે નવમા અર્ધમંડળમાં જઈને ઉત્તર દિશાને આકમિત કરીને ગમન કરે છે. નવમી અહોરાત્રે દક્ષિણ દિશામાં દસમા અધમંડળને આક્રમિત કરીને ગમન કરે છે. દસમી અહેરાત્રે ઉત્તરદિશામાં અગીયારમાં અર્ધમંડળને આકમિત કરીને ગતિ કરે છે. અગીયારમી અહોરાત્રે બારમા અધમંડળને દક્ષિણદિશાથી આકમિત કરીને ગમન કરે છે. બારમી અહોરાત્રે ઉત્તરદિશાથી તેરમા અર્ધમંડળને આકમિત કરીને ગમન કરે છે. તેરમા અહોરાત્રમાં દક્ષિણદિશાથી ચૌદમા મંડળને આકમિત કરીને ગમન કરે છે. ચૌદમી અહેરાત્રે ઉત્તરદિશામાં પંદરમાં અર્ધમંડળના સડસહિયે તેરમાભાગને આકમિત કરીને ગમન કરે છે. આટલા અંતરવાળા સમયથી ચંદ્રની અયનગતિ સમાપ્ત થાય છે. અયન એટલે ગતિ (વચન) એ ધાતુથી અયન શબ્દ સિદ્ધ થાય છે. ચાંદ્રાયન નાક્ષત્ર અર્ધમાસ પ્રમાણનું હોય છે. તેથીજ નાક્ષત્ર અર્ધમાસથી ચંદ્રના ગમનમાં સામાન્ય રીતે પુરા તેરમંડળ થાય છે. તથા ચૌદમા મંડળના સડસઠિયા તેરભાગ થાય છે. જે આ પ્રમાણે છે. અહીયાં રાશિક ગણિત પ્રવૃત્તિથી કહેવામાં આવે છે. એક યુગમાં એકસો ત્રીસ અયને હોય છે. તેથી આવી રીતે અનુપાત કરે કે એકત્રીસ અયનોથી સરસો અડસઠ મંડળ થાય તે એક અયનથી કેટલા મંડળ થઈ શકે? આ માટે રાશિક સ્થાપના કરવામાં આવે છે. જ્૬= ૧૩=૧૩+સે અહીં અંતિમરાશિ જે એક છે. તેનાથી મધ્યની રાશીને ગુણાકાર કરવામાં આવે તો પણ એજ પ્રમાણે રહે છે. કારણકે એકથી ગુણેલ સંખ્યા એજ પ્રમાણે રહે છે તે નિયમ છે. તે પછી એકવીસરૂપ પહેલી રાશિથી તેનો ભાગ કરે તે તેર આવે છે. તથા એકસોચે ત્રિસ છવ્વીસીયાભાગ શેષ રહે છે. તે પછી હાંશને બેથી અપવર્તિત કરવા. ૨૬=૩ તે સડસઠિયા તેરભાગ થઈ જાય છે. કહ્યું પણ છે. (तेरस मडलाणिय तेरस सद्वि चेव भागा य । अयणेण चरइ सोमो णक्खत्तेण अद्धमासेण ॥१॥ તેર મંડળ અને ચૌદમા મંડળના સડસઠિયા તેરભાગ એક અયનમાં નાક્ષત્ર અર્ધમાસમાં ચંદ્ર ગમન કરે છે. [૧] આ ગાથાની વ્યાખ્યા અહીંયાં પહેલાં જ કહેવાઈ ગઈ છે. તથા આ સામાન્ય પ્રતિપાદન કરેલ છે વિશેષ પ્રકારની વિચારણામાં તે એક ચાંદ્ર યુગમાં પહેલા અયનમાં પૂર્વોક્ત પ્રકારથી દક્ષિણભાગથી આરંભ કરીને અત્યંતરાભિમુખ પ્રવેશ કરે શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨ ૨૫૭ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy