SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ સખ્યાત યાજન ક્ષેત્ર એક દિશામાં અથવા વિદિશામાં આપૂર્ણ થાય છે—વ્યાપ્ત થાય છે. અહી' લંબાઈમાં ઉત્કૃષ્ટ સ`ખ્યાત યાજન પ્રમાણ ક્ષેત્રનુ વ્યાપ્ત થવુ' કહેલ છે તે વાયુકાયિકા સિવાય નારક આદિની અપેક્ષાએ સમજવું જોઇએ. કેમકે નારક આદિ વૈક્રિયસમુધાત જ્યારે કરે છે તેા તેવી જાતના પ્રયત્ન વિશેષથી સખ્યાત ચેાજન પ્રમાણ આત્મપ્રદેશના દંડની રચના કરે છે, અસંખ્યાત ચેાજન પ્રમાણ દ'ડની રચના નથી કરતા. પણ વાયુકાયિક જઘન્ય અને ઉત્કૃષ્ટ માંગલના અસંખ્યાતમા ભાગના જ દંડ રચે છે. આટલા પ્રમાણવાળા દડની રચના કરી રહેલ તે નારકા વિગેરે તેટલા પ્રદેશામાં તેજસ શરીર આદિના પુગલાને આત્મપ્રદેશથી બહાર કાઢે છે ત્યારે તે પુદ્ગલાથી આપૂર્ણ અને વ્યાપ્ત તે ક્ષેત્ર લંબાઈમાં ઉત્કૃષ્ટ રૂપથી પણ સખ્યાત યાજન જ હાય છે. ક્ષેત્રનું આ પ્રમાણ કેવળ વૈક્રિયસમુદ્ધાતથી ઉત્પન્ત પ્રયત્નની અપેક્ષાથી કહેલ છે. જ્યારે કોઇ વૈક્રિયસમુદૂધાતને પ્રાપ્ત કરીને મારણાન્તિકસમુાતને પ્રાપ્ત કરે છે અને ફરી તીવ્રતર પ્રયત્નના ખળથી ઉત્કૃષ્ટ દેશમાં ત્રણ સમયના વિગ્રહથી ઉત્પત્તિ સ્થાનમાં આવે છે, તે સમયે અસખ્યાત વૈજન લાંબુ ક્ષેત્ર સમજી લેવું જોઈએ. પરંતુ અસ.ખ્યાત યાજન પ્રમાણુ ક્ષેત્રને આપૂર્ણ કરવું મારણાન્તિકસમુદ્ધાત જન્ય હાવાને કારણે અહી તેની વિક્ષા નથી કરાઇ, આ કારણથી અસખ્યાત ચેાજન ન કહીને સંખ્યાત ચેાજન જ કહ્યું છે. આ જ રીતે નારક, પાંચેન્દ્રિય તિયાઁચ ચૈાનિક અને વાયુકાયિકની અપેક્ષાથી પૂર્વોક્ત પ્રાણવાળા લાંખા ક્ષેત્રના પૂર્ણ થવાના નિયમથી એક દિશામાં જ ભજવુ જોઇએ. નારક જીવ પરાધીન અને અલ્પ ઋદ્ધિવાળા હાય છે. પાંચેન્દ્રિય તિય ચ અલ્પ ઋદ્ધિવાળા હોય છે. અને વાયુકાયિક વિશિષ્ટ ચેતનાથી વિકલ હાય છે. આ કારણથી જ્યારે તે વૈક્રિયસમુદૂધાતના આર ંભ કરે છે, ત્યારે સ્વભાવતઃ જ આત્મપ્રદેશેાના દડ કાઢે છે અને આત્મપ્રદેશથી પૃથક્ થઇને પુદ્ગલેાના સ્વભાવથી જ શ્રેણી મુજખ ગમન થાય છે, વિશ્રેણીમાં ગમન નથી થતુ. આ કારણથી નારકો, પ ંચેન્દ્રિય તિય ચા અને વાયુકાયિકાના પૂર્વોક્ત આયામ ક્ષેત્ર એક દિશામાં જ સમજવા જોઈએ. વિદિશામાં નહી' પરંતુ ભા નપતિ, વાનતર, જ્યોતિક અને વૈમાનિક દેવ તથા મનુષ્ય સ્વેચ્છાપૂર્વક વિહાર કરવાવાળા છે, સ્વચ્છંદ છે અને વિશિષ્ટ લબ્ધિથી સાપન્ન પણ છે. આ કારણથી તેઓ વિદિશામાં પણ વિશિષ્ટ પ્રયત્નો દ્વારા આત્મપ્રદેશના દંડ કાઢે છે. આથી તેએ એક દિશામાં અને વિદિશામાં પણ પૂર્વોક્ત ક્ષેત્રને આપૂર્ણ અને વ્યાપ્ત કરે છે. ઉપસ દ્વાર કરતાં કહ્યું છે-આટલું ક્ષેત્ર આપૂર્ણ હાય છે, અને આટલું ક્ષેત્ર વ્યાપ્ત હાય છે. વૈક્રિયસમુદ્ધાતને પ્રાપ્ત કોઇ જીવ કાલધમ ને પણ પ્રાપ્ત થઇ જાય છે અને વિગ્રહ દ્વારા ઉત્પત્તિદેશ સુધી પહોંચે છે. તેથી વિગ્રહગતિને લઇને કાલની પ્રરૂપણા ઠરવાને માટે કહે છેશ્રી ગૌતમત્વામી-હે ભગવન્ ! તે પૂર્વક્તિ પ્રમાણવાળું ક્ષેત્ર વિગ્રહગતિથી ઉત્પત્તિ દેશ પર્યન્ત કેટલાકાળમાં પૂર્ણ થાય છે, કેટલાકાળમાં વ્યાપ્ત થાય છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૦૯
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy