SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે જેમણે મનુષ્યભવમાં ચીપૂર્વનું અધ્યયન કર્યું હતું અને યથાસંભવ એક, બે અથવા ત્રણ વાર આહારક સમુદ્દઘાત કર્યો હતો પણ હવે તે વનસ્પતિકાયિક અવસ્થામાં છે. અનઃ જીવ એવા પણ છે જે વનસ્પતિ કાયાથી નિકળીને મનુષ્યભવ ધારણ કરીને ભવિષ્યમાં આહારક સમુદ્દઘાત કરશે. મનુષ્યની મનુષ્યાવસ્થામાં પૃછા સમયથી પૂર્વ અતીત સમુદ્દઘાત કદાચિત્ સંખ્યા અને કદાચિત અસંખ્યાત છે. એજ પ્રકારે મનુષ્યના મનુષ્યાવસ્થામાં ભાવી આહારક સમુદ્રઘાત કદાચિત્ સંખ્યાત અને કદાચિત અસંખ્યાત છે કેમકે તેઓ પૃચ્છાને સમયે ઉત્કૃષ્ટ રૂપથી પણ બધાથી એછી શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં રહેલા આકાશના પ્રદેશે રાશિને બરાબર થાય છે. એ કારણે પૃચ્છાના સમકાલિકામાં કદાયિત્ અસંખ્યાત સમજવા જોઈએ. કેમ કે યથાસંભવ પ્રત્યેકને એક બે અથવા ત્રણ વાર અગર તે આહારક સમુદ્દઘાત કર્યા છે અથવા કરશે. મનુષ્યોથી અતિરિક્ત શેષ બધા અસુરકુમાર આદિનાં કથન નારકની સમાન જ સમજવાં જોઈએ. એ પ્રકારે આ વીસ દંડક થાય છે અર્થાત્ વીસે દંડકમાથી પ્રત્યેકને ગ્રેવીસે દંડકમાં ઘટિત કરેલ છે. બધા મળીને એક હજાર છપન આલાપક થાય છે. હવે કેવલિસમુદ્રઘાતની પ્રરૂપણ કરાય છે શ્રીગૌતમસ્વામી–હે ભગવન્નારકના નારક અવસ્થામાં અતીત કેવલિ સમુદ્રઘાત કેટલા છે? શ્રી ભગવાન –હે ગૌતમ! નારકના નારક અવસ્થામાં અતીત કેવલિસ મુદ્દઘાત નથી. શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! નારકના નારક-અવસ્થામાં ભાવી કેવલિસમુદુધાત કેટલા છે ? શ્રીભગવાન–હે ગૌતમ! નથી. કેવલિ સમુદ્રઘાત પણ કેવળ મનુષ્યાવસ્થામાં થાય છે, મનુષ્યતર અન્ય અવસ્થામાં તે નથી થઈ શકતા. જે જીવ કેવલિસમુદ્દઘાત કરી ચૂકયા હેય, તે સંસારમાં પરિભ્રમણ નથી કરતા, કેમ કે કેવલિસમુદ્દઘાતના પછી અન્તર્મુહૂર્તમાં જ નિયમે કરી મેક્ષ પ્રાપ્ત થાઈ જાય છે. તેથી જ નારકોના મનુષ્યથી ભિન્ન અવરથામાં અતીત અથવા અનાગત કેવલિ સમુદુઘાત સંભવિત નથી. જેવા નારકાના નારક અવસ્થામાં કેવલિસમુદ્દઘાતને સંભવ નથી, એજ પ્રકારે અસુરકુમારથી લઈને વૈમાનિક– અવસ્થામાં પણ મનુષ્યાવસ્થાને છોડીને કેવલિસમુદૂઘાત નથી થઈ શકતા. અને અર્તીત કે અનાગતને સંભવ નથી. વિશેષ એ છે કે નારકની મનુષ્યાવસ્થામાં અતીત : કેવલિ સમુદ્દઘાત નથી થતા, પણ ભાવી અસંખ્યાત છે. અભિપ્રાય એ છે કે-જે મનુષ્ય કેવલિસમુદ્રઘાત કરી ચૂકેલા હોય, તેમના નરકમાં ગમન નથી થતાં. એથી મનુષ્યાવસ્થામાં અત્ત કેવલિસમુદ્દઘાતને સંભવ થઈ શક્તિ નથી. પૃચ્છાના સમયમાં જે નારક વિદ્યમાન છેતેમનામાંથી અસંખ્યાત એવા છે જે મેક્ષ ગમનને યોગ્ય છે. અતઃ ભાવી કેવલિસમુદ્દઘાત અસંખ્યાત કહેલ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ 3७४
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy