SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ એજ પ્રકારે નારકોથી લઈને વૈમાનિક સુધી સમજવુ જોઈએ. અર્થાત્ સમુચ્ચય જીવાની વક્તવ્યતા ના અનુસાર નિરન્તર નારક, અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક અકાય આદ એકેન્દ્રિય, દ્વાન્દ્રિય, ત્રીન્દ્રિય,ચતુરિન્દ્રિય,પોંચેન્દ્રિયતિય ચ,મનુષ્ય, વાનગૃતર, ચૈતિષ્ઠ અને વૈમાનિક પણ જ્ઞાનાવરણીય કર્માંતે। બંધ કરીને પ્રાણાતિપૃાતની નિષ્પત્તિમાં ત્રણુ ક્રિયાએ વાળા પણ થાય છે. ચાર ક્રિયાઓવાળા પણ થાય છે અને પાંચ ક્રિયાવાળા પણ થાય છે. જે પ્રકારે જ્ઞાનાવરણીય કર્મીના વિષયમાં કહેલુ` છે. એજ પ્રકારે દર્શાનાવરણીય. વેદનીય મેહનીય આયુષ્ય. નામ ગેત્રિ. અને અન્તરાય આ આઠે કર્માં પ્રકૃતિચેના વિષયમાં કથન કરવાં જોઇએ. એ પ્રકારે એક વચન અને બહુવચનની અપેક્ષાએ સાલ દ!ક થાય છે. અભિપ્રાય એ છે કે જેવુ જ્ઞાનાવરણીય ક`ની અપેક્ષાથી એકવચન અને બહુવચનને લઇને દંડકાનુ પ્રતિપાદન કર્યુ* છે, એજ પ્રકારે ખોજા દર્શનાવરણીય આદિ કર્મીની અપેક્ષાથી પ્રત્યેક કર્મના ખે-બે દંડક થાય છે. એ પ્રકારે આ કર્માંના સાલ દંડક સમજવાં જોઇએ. હવે વર્તીમાન ભવ સબન્ધી જીવના જ્ઞાનાવરણીયઆદિ આઠ ક બંધ વિશેષના પ્રરૂપણમાં કાયિકી આદિ ક્રિયાજનિત પ્રાણાતિપાતના સમાન અતીત ભુવના કાય સમ્બન્ધી કાયિકી ક્રિયાઓના કારણે પ્રાણાતિપાત વિશેની પણ પ્રરૂપણા કરવાને માટે કહે છે શ્રી ગૌતમસ્વામી-જીવ જીવની અપેક્ષાએ કેટલી ક્રિયા વાળા કહેલા છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! કદાચિત્ કવચિત્ ત્રણ ક્રિયાઓવાળા. કદાચિત ચાર ક્રિયા વાળા અને કદાચિત કવચિત્ પાંચ ક્રિયાવાળા તથા કદાચિત કવચિત્ ક્રિયા રહિત હોય છે. વમાન ભવને લઇને પૂર્ણાંકત પ્રકારથી કાયિકી. આધિકરણિકી અને પ્રાદ્વેષકી આદિ ક્રિયા સમજવી જોઇએ. કિન્તુ અતીત ભુવને લઇને એમ સમજવુ જોઇએ-પૂર્વ ભવ સંબંધી કાયાના અથવા કાયના એક ભાગના વ્યાપાર થવાથી ક્રાયિકી ક્રિયા થાય છે. એ પ્રકારે પૂર્વભવમાં જોડેલા હલગર (નિષ્કૃટ) યંત્ર આદિના અથવા પૂર્વ ભવમાં નવી રીતે અનાવેલ સિ (ખડ્ગ) લાલા તામર આદિ શસ્ત્રોના ખીજાના ઉપપાતને માટે કામમાં આવતા આધિકારણિકા ક્રિયા થાય છે. તથા અતીત ભવ સંબંધી અશુભ પરિણામની પ્રવૃત્તિનું પ્રત્યાખ્યાન ન કરવાથી પ્રાઢેષિકી ક્રિયા થાય છે. એ પ્રકારે ત્રણ ક્રિયાવાળા સમજવાજોઈએ ચાર ક્રિયામાં પૂભવ સમ્બન્ધી પારિતાપનિકી ક્રિયા પણ સમ્મિલિત કરવી જોઈએ કેમકે પૂર્વભવ સંબંધી કાયથી પરિતાપ ઉપજાવાય છે. પાંચ ક્રિયાઓ હાય તા પહેલી પ્રાણાતિપાત ક્રિયા જેનુ સ્વરૂપ આ પ્રમાણે છે પ્રાણેાથી વ્યપરોપણ કરવું, તે પણ થાય છે. કદાચિત્ અક્રિય થાય છે. કેમકે જ્યારે પૂર્વભવ સંબંધી શરીરને અથવા અધિકરણને ત્રણ કરણ ત્રણ યાગથી ત્યાગીદે છે અને તદ્ભવ સંબંધી શરીરથી કોઇ ક્રિયા પણ નથી કરતા, એ સમયે અક્રિય થાય છે. આ અક્રિયત્વ મનુષ્યની અપેક્ષાથી સમજવું જોઈએ, કેમકે મનુષ્યમાં જ સર્વવિરતિ થઈ શકે છે. અથવા અક્રિયત્વ સિદ્ધોની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૭
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy