SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ શેષ અર્થાતુ નરયિક, અમુકુમાર આદિ ભવનપતિ, પંચેન્દ્રિય તિ , મનો વાતવ્યન્તરે, તિષ્ક અને વિમાનિકમાં જે સમ્યગ્દષ્ટિ છે. તેમનામાં ત્રણ ભંગ થાય છે, જેમ કે (૧) કદાચિત્ બધા આહારક હોય છે (૨) કદાચિત ઘણા આહારક સમ્યગ્દષ્ટિ હોય છે. અને એક અનાહારક હોય છે (૩) કદાચિત ઘણા આહારક, અને ઘણા અનાહારક હોય છે. મિથ્યાષ્ટિમાં સમુચ્ચય જીપ અને એ કેન્દ્રિય સિવાય ત્રણ ભંગ કહેવા જોઈએ. એ પ્રકારે મિટિમાં એકત્વની વિવેક્ષાથી સર્વત્ર સ્થાત્ એક આહારક, એક અનાહારક આ એક જ ભંગ સમ જોઈએ. બહત્વની વિવક્ષામાં સમુચ્ચયજીવ અને પૃથ્વી કાયિક આદિ એકેન્દ્રિય મિથ્યાષ્ટિમાંથી પ્રત્યેક માં-ઘણ આહારક પણ અને ઘણા અનાહારક પણ, આ એકજ ભંગ થાય છે, કેમ કે આ બન્ને જ સદા બહું સંખ્યામાં મળે છે, તેમના સિવાય બધા સ્થાનમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. અહીં સિદ્ધ સંબંધી આલાપક ન કહેવા જોઈએ, કેમ કે સિદ્ધ મિથ્યાદષ્ટિ નથી થતા, શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! સમ્યમિચ્છાદષ્ટિ આહારક હોય છે કે અનાહારક હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! સમ્યમિથ્યાદષ્ટિ આહારક હોય છે, અનાહારક નથી હતા, કેમ કે સંસારી જીવ વિગ્રહગતિમાં જ અનાહારક હોય છે, પણ મિથ્યાદષ્ટિ વિગ્રહગતિમાં થતી નથી, કેમ કે સમ્યમિથ્યાષ્ટિની અવસ્થામાં મૃત્યુ નથી થતું. કહ્યું પણ છે- “સમ્યમિથ્યાદષ્ટિ જીવ કાળ નથી કરતે એ પ્રકારે સમ્યમિથ્યાષ્ટિની વિગ્રહગતિ ન થવાથી અનાહારકત્વનો અભાવ સમજવો જોઈએ. એજ પ્રકારે ચોવીસે દંડકોના ક્રમે કહી લેવું જોઈએ, પણ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિનાં કથન ન કરવા જોઈએ કેમ કે તેઓ સમરિમથ્યાદષ્ટિ હતાં નથી, એજ આગળ કહેલું છે-સમુચ્ચય સમ્યમિથ્યાદષ્ટિ જીવની જેમ એકેન્દ્રિય અને વિશ્લેરિયેના સિવાય નારક, અસુરકુમાર આદિ ભવનપતિ, પંચેન્દ્રિય તિયચ, મનુષ્ય વાતવ્યન્તર, જતિક તેમજ વૈમાનિક સમ્યમિથ્યાદષ્ટિ પણ આહારક હોય છે, અનહિા૨ક નથી હોતા. બહુવની વિવક્ષાથી પણ એજ પ્રકારે સમજવું જોઈએ તે આ પ્રકારે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! સમ્યમિથ્યાટિ જીવ આહારક હોય છે અથવા અનહારક હોય છે ? શ્રી ભગવાન –-હે ગૌતમ! આહારક હોય છે, અનાહારક નથી લેતા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્સમ્યમિશ્રાદષ્ટિ નારક આહારક હોય છે કે અના. હારક હોય છે? શ્રી ભગવાન ગૌતમ! આહારક હોય છે. અનાહારક નહીં. એ જ પ્રકારે એકેન્દ્રિ અને વિકલેન્દ્રિય સિવાય વૈમાનિકે સુધી કહેવું જોઈએ. હવે છઠ્ઠા સંયત–દ્વારની પ્રરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામીહે ભગવન ! સંયત જીવશું આહારક હોય છે કે અનાહારક હોય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૪૩
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy