SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ અસંખ્યાત ભાગ ઓછા એવા સાગરોપમના બે સપ્તમાંશ ૩ લાગ પ્રમાણ કહેવામાં આવી છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકોડી સાગરોપમની કહી છે. તેને અબાધાકાલ વીસસે બે હજાર વર્ષ છે. સમગ્ર સ્થિતિમાં બે હજાર વર્ષ ઓછા કરવાથી જે બાકીની સ્થિતિ રહે અર્થાત બે હજાર વર્ષ ઓછાં એવી વીસ કેડાછેડી સાગરોપમ એટલે પ્રત્યેકને નિષેક કાલ છે અથવા અનુભવયેગ્ય સ્થિતિ કાલ છે. દારિક શરીરે પાંગ, ક્રિપ શરીરે પાંગ અને આહારક શરીરે પાંગ-એમની પ્રત્યેકની સ્થિતિ એ પ્રમાણે કહી છે, એટલે કે તેજસ-કાશ્મણ શરીર નામ કર્મની પેઠે પલ્યોપમનો અસંખ્યાતમ ભાગ એ છે એવા સાગરોપમને ૩ ભાગ જઘન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ વીસ કોડાકોડી સાગરોપમની છે. તેમને અબાધાકાળ પણ બે હજાર વર્ષ છે, એટલે કે, તે કર્મ તેના બંધસમયથી લઈને બે હજાર વર્ષ સુધી પિતાના ઉદયથી જીવને કોઈ બાધા પહોંચાડી શકતું નથી, કારણ કે આ સમયમાં કર્મ દળિયાંનો નિષેક થતું નથી. આથી જ અબાધાકાલ ઓછો કર્યા પછી જે કર્મ સ્થિતિ બાકી રહે છે તે તેમને નિષેક કાળ છે અર્થાત્ અનુભવગ્ય સ્થિતિને કાળ કહેવામાં આવ્યું છે. જે પ્રકારે ઔદારિક શરીર નામકર્મ આદિ પાંચે શરીરની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પરિમાણ કહ્યું છે તેજ પ્રમાણે શરીર બંધન પંચક અને શરીર સંઘાત પંચકની સ્થિતિનું પરિમાણુ પણ સમજી લેવું જોઈએ. આ અભિપ્રાયને સ્પષ્ટ કરતાં કહેવામાં આવ્યું કે-પાંચે શરીર નામકર્મની જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ દારિક શરીર પંચકની સમાન જ છે. એ પ્રમાણે શરીર સંઘાત પંચકની સ્થિતિ પણ જેટલી શરીર પંચકની છે તેટલી જ સમજવી જોઈએ. વજઋષભ નારાચ સંહનન નામકર્મની સ્થિતિ. એટલી થઈજવી જોઈએ કે જેટલી રતિ મેહનીય કર્મની સ્થિતિ પહેલાં કહેવામાં આવી છે એટલે જાણવી જોઈએ, એટલે કે જઘન્ય સ્થિતિ પામને અસંખ્યાત ભાગ એ છે એવા સાગરોપમને 3 ભાગ છે અને ઉત્કૃષ્ટ દશ કેડાછેડી સાગરોપમની છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! રાષભનારાચ સંહનન નામકર્મની જઘન્ય સ્થિતિ, પોપમને અસંખ્યાત ભાગ ઓછી એવા સાગરેપમના ૪ ભાગ પ્રમાણ છે? શ્રી ભગવાન હે ગૌતમ ! હા એ પ્રમાણે જ થાય છે. વળી રાષભનારાઅસંહનન નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાર કડાકોડી સાગરોપમની છે. આ સ્થિતિને સિત્તેર કલાકેડી પ્રમાણુ મિથ્યાત્વ સ્થિતિ વડે ભાગાકાર કરવામાં આવે તે ભાજ્ય રકમ નાની અને ભાજક રકમ મોટી હોવાના કારણે ભાગ થઈ શકે નહીં. આથી બન્યું જોર ઘા ” એ નિયમ અનુસાર બને રકમનું અધું કરવાથી ઉપર “અંશમાં છે અને નીચે (છેદમાં) પાંત્રીસ 1 મળે છે. તેમાંથી પાપમને અસંખ્યાત ભાગ ઓછો કરી દેવામાં આવે છે. ઋષભનારાચસંહનન નામકર્મની ઉત્કૃષ્ટ રિથતિ બાર કડાકોડી સાગરોપમની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૨૩
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy