SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. તેથી જ પંદર સો વર્ષ જૂની પંદર ક્રોડ કોડી સાગરોપમની તેની અનુભવ રોગ્ય સ્થિતિ બની રહે છે. અસાતા વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમે ભાગ ન્યન સાગરિોપમને ૩ કહેલી છે. ઉકૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડા ડી સાગરોપમની છે. તેને અબાધાકાવ ત્રણ હજાર વર્ષ છે. શેષ ભાગ અર્થાત ત્રણ હજાર વર્ષ ન્યન ત્રીસ કોડાકોડી સાગપિમ કર્મનિષેક કાલ છે જેને અનુભવ એગ્ય સ્થિતિ કડલ છે. શ્રી ગૌતમરામી–હે ભગવન્! સમ્યકત્વ વંદનીયકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમથી કાંઈક અધિકની છે. મિથ્યાત્વ વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ પાપમના અસંખ્યાત ભાગ ન્યૂન એક સાગરોપમની અને ઉત્કૃષ્ટ સત્તર કોડાકોડી સાગરોપમની આ કર્મ રૂપતાનું અવસ્થાન રૂપા સ્થિતિ છે. અનુભવ એગ્ય સ્થિતિ આમ છે–તેને અબાધાકાલ સાત હજાર વર્ષ છે અને અબાધાકાલ ન્યુન કરવાથી શેષ વધેલી સ્થિતિ અનુભવ એગ્ય સ્થિતિ છે અર્થાત્ કર્મનિષેકને કાલ છે. તાત્પર્ય એ છે કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મિથ્યાત્વ વેદનીયના બંધ હોય તે તે બંધકાળથી લઈને સાત હજાર વર્ષ સુધી જીવને કઈ બાધા નથી પહોંચતી તે જ તેનો અબાધાકાળ છે. સાત હજાર વર્ષના પછી જ દલિકને નિષેક થાય છે, પહેલાં થતું નથી. સમ્યગુ મિથ્યાત્વ વેદનીયની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અન્તર્મુહુર્તની છે. સમ્યકત્વ વંદનીય સમ્પરિમથ્યાત્વ વેદનીય ને બંધ નથી થતું. તેથી જ વેદનની અક્ષિાથી જ તેમની સ્થિતિ કહેલી છે, સમ્યકત્વવેદનીય અને સભ્યમિથ્યાત્વ વેદનીયને બન્ધ કેમ નથી થતું, એનું સ્પષ્ટીકરણ આ રીતે સમજવું જોઈએબન્ધના સમયે જીવ મિથ્યાત્વના જ પુદ્ગલોને અન્ય કરે છે. તત્પશ્ચાત્ જ્યારે તે સમ્યકત્વના અનુકૂલ વિશુદ્ધિના બળથી તેના ત્રણ પુંજ કરે છે, ત્યારે તે પુદ્ગલ વિશુદ્ધ, અર્ધવિશુદ્ધ, અને અવિશુદ્ધ એ પ્રકારે ત્રણ ભાગોમાં વહેંચાઈ જાય છે. તેમનામાંથી મિથ્યાત્વના તે પુગેલે, જેઓ વિશુદ્ધ બની જાય છે તે સમ્યકત્વ વંદનીય કહેવાય છે. અર્ધવિશુદ્ધ પુદ્ગલ સમ્ય મિથ્યાત્વ વેદનીય કહેવાય છે અને જે અશુદ્ધ હોય છે, તેઓ મિથ્યાત્વ વેદનીય નામથી અભિહિત થાય છે. તેથી સમ્યકત્વેદનીય અને મિશ્ર વેદનીયન બન્ધ જ નથી થતા. કષાય દશકની અર્થાત્ અનન્તાનુબંધી ચતુષ્ટય, અપ્રત્યાખ્યાન ચતુષ્ટય અને પ્રત્યાખ્યાન ચતુષ્ટયમાંથી પ્રત્યેકની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાત ભાગ ન્યૂન સા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૦૪
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy